________________
સંતુલિત આહાર દ્વારા ધાતુઓ અને રસાયણોનું સંતુલન બને છે. આ સંતુલનનો સંબંધ ભોજન સાથે છે એ સ્પષ્ટ છે. તેનો સંબંધ ધર્મ સાથે છે એ ખૂબ અસ્પષ્ટ છે. ભોજનનો સંયમ કરવો તે એક તપસ્યા છે અને તપસ્યા ધર્મ છે. જે વ્યક્તિ કોલેસ્ટેરોલ વધારનારી ચીજો વધુ પ્રમાણમાં ખાય છે તેની ધમનીઓ કઠિનતા તથા હૃદયરોગથી મુક્ત રહી શકતી નથી. જે વ્યક્તિ વધુ પ્રમાણમાં નમક ખાયછે તે લોહીના ઊંચા દબાણ અને કિડનીની બીમારીઓથી શી રીતે બચી શકે ? વધુ પ્રમાણમાં ખાંડ ખાનાર વ્યક્તિ શું એસીડીટી અને ડાયાબિટિસને નિયંત્રિત નથી કરી રહી ? આપણા શરીર માટે ભોજન જેટલું જરૂરી છે એટલો જ જરૂરી છે ભોજનનો સંયમ અથવા અસ્વાદનું વ્રત.
એકાગ્રતા : ધર્મનું આંતરિક તત્ત્વ
જીવનયાત્રા માટે મનની ચંચળતા જરૂરીછે. તે સીમાથી આગળ વધી જાય છે ત્યારે તેને કારણે આરોગ્ય પ્રભાવિત થાય છે. પ્રથમ માનસિક આરોગ્ય અને ત્યારપછી શારીરિક આરોગ્ય. ચંચળતા ઘટાડવી એ માત્ર માનસિક શાંતિની જ સાધના નથી, તે શારીરિક આરોગ્યની પણ સાધના છે. મનની એકાગ્રતા ધર્મનું આંતરિક તત્ત્વ છે. આરોગ્યનું પણ તે એક મહત્ત્વનું અંગ છે. આરોગ્યના ત્રણ આધારઃ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય - એ ત્રણેયને આરોગ્યના આધાર માનવામાં આવે છે. આહાર-સંયમની જેમ નિદ્રાનો સંયમ પણ આવશ્યક છે. અતિ નિદ્રા આરોગ્ય માટે હિતકારક નથી. સામાન્ય રીતે દિવસે નિદ્રા લેવાનું વાજબી નથી. જો આવશ્યક હોય તો ખૂબ ઓછા સમય માટે નિદ્રા લઈ શકાય. એ માટે અડધો કલાક ઘણોછે. એક કલાક તો વધુ પડતોછે. રાત્રે પણ અવસ્થા પ્રમાણે પાંચ, છ કે સાત કલાકની નિદ્રા પર્યાપ્ત છે. જાગરુકતા ધર્મનું મહત્ત્વનું અંગ છે.
ધર્મની આરાધના આરોગ્યની આરાધના
આહાર-સંયમ, નિદ્રા-સંયમ, બ્રહ્મચર્ય અને વિધાયક ભાવ એ બધાં ધર્મનાં પ્રાણ તત્ત્વોછે. તેમની આરાધના ધર્મની આરાધના છે અને સાથે સાથે આરોગ્યની સાધના પણ છે.
આજે ધર્મની આરાધના ઓછી થાય છે અને સંપ્રદાયની આરાધના વિશેષ થાય છે. સાંપ્રદાયિક આચારસંહિતાને ધર્મ માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 135
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org