________________
એ ત્રણેયનો યોગ્ય સમન્વય એટલે જ આરોગ્ય. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે પોષક દ્રવ્યો તરફ ધ્યાન આપી રહ્યા હોય છે. તે શારીરિક આરોગ્યનો એક મુદ્દો બની શકે, પરંતુ શરીર એકલું નથી એ તો એક સમન્વય છે. એકલું શરીર સ્વસ્થ રહી શકતું નથી. મન સ્વસ્થ હોય તો શરીર પણ સ્વસ્થ હશે. જો મન સ્વસ્થ નહિ હોય તો શરી૨ ક્યાંથી સ્વસ્થ રહેશે ? હજારો વર્ષ પૂર્વે આયુર્વેદના આચાર્યોએ આ સચ્ચાઈનો અનુભવ કર્યો હતો. રોગ બે પ્રકારના હોય છે – શારીરિક અને માનસિક, વર્તમાન આયુર્વિજ્ઞાનના મત મુજબ મનોકાયિક રોગોની યાદી ખૂબ લાંબી છે. મનોકાયિક રોગો મન અને શરીર બંનેની રુગ્ણતામાંથી પેદા થનારા રોગછે. કાયિક રોગોની ચિકિત્સા ઔષધિ દ્વારા કરી શકાયછે. મનોકાયિક રોગો માટે ઔષધિ પર્યાપ્ત નથી મનોભાવોને બદલ્યા વગર તેની ચિકિત્સા શક્ય નથી.
આરોગ્યનો મૂળ સોત
આરોગ્યનો મૂળ સ્રોતછે ભાવોની વિશુદ્ધિ. આપણું સમગ્ર જીવન ભાવધારા દ્વારા સંચાલિત છે. ભાવ થકી મન પ્રભાવિત થાયછે અને મન દ્વારા શરીર પ્રભાવિત થાય છે. જેટલા નિષેધાત્મક ભાવો (નેગેટિવ એટીટ્યૂટ્સ) છે, તે તમામ રોગોને નિમંત્રિત કરનારાછે. ક્રોધ નિષેધાત્મક ભાવછે. તેનો વેગ અનેક રોગોને નિમંત્રિત કરે છે. લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ વગેરે માટે તે વિશેષ જવાબદારછે. લોભ પણ નિષેધાત્મક ભાવ છે. તેનો વેગ ભોજન પ્રત્યે અરુચિ, મંદાગ્નિ જેવા રોગો પેદા કરેછે. ઈર્ષ્યા અને ઘૃણા દ્વારા અલ્સર વગેરે રોગો ઉત્પન્ન થઈ જાયછે. ભાવો દ્વા૨ા ઉત્પન્ન થનારા રોગોનું લાંબુ વિવરણ આયુર્વેદના ગ્રંથોમાં મળે છે. આજના વૈજ્ઞાનિકો પણ ભાવ અને રોગના સંબંધનાં સંશોધનોમાં ખૂબ આગળ વધ્યા છે.
આરોગ્યનાં પાંચ લક્ષણો
આરોગ્યનાં પાંચ લક્ષણો આ પ્રમાણે છે :
(૧) શારીરિક ધાતુઓ અને રસાયણોનું સંતુલન
(૨) પ્રાણનું સંતુલન
(૩) ઇન્દ્રિયોની પ્રસન્નતા
(૪) મનની પ્રસન્નતા (૫) ભાવોની પ્રસન્નતા
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 134
For Personal and Private Use Only
www.jainelibrary.org