________________
ગઈ અને ઉપાદાન પ્રત્યે આપણી જાગરુકતા ઓછી થઈ ગઈ. તેથી આપણે પદાર્થો પ્રત્યે જેટલા જાગરુક છીએ તેટલા પોતાના પ્રત્યે નથી. આપણી સુખ-દુઃખની તમામ કલ્પનાઓ પદાર્થ સાથે જોડાયેલી છે. તેથી આપણે એ વ્યક્તિને ભાગ્યશાળી સમજીએ છીએ કે જેની પાસે પદાર્થોનો મોટો સંગ્રહ હોય છે. જેની પાસે પદાર્થોનો સંગ્રહ નથી હોતો તેને આપણે ભાગ્યશાળી માનતા નથી. શું પદાર્થ ખરેખર સુખ આપે છે? શું પદાર્થ ખરેખર દુઃખ આપે છે? જો પદાર્થ સુખ કે દુઃખ આપતો હોત તો ગમે તે વ્યક્તિને તે સુખ-દુઃખ આપી શકે. પરંતુ મૃત વ્યક્તિને પદાર્થ દ્વારા સુખ-દુઃખ જેવું કશું જ મળતું નથી. એથી એ સ્પષ્ટ થાય છે કે સુખ-દુઃખનો સીધો સંબંધ આપણી સંવેદનાત્મક ચેતના સાથે છે, પદાર્થ સાથે નથી. એક જીવિત વ્યક્તિ જેનામાં ચેતના વિદ્યમાન છે, તે વ્યક્તિ સૂતેલી હોય ત્યારે તેને પદાર્થનો ભરપૂર સંગ્રહ પણ સુખ-દુઃખ આપતો નથી. કોઈ વિરક્ત વ્યક્તિને પણ પદાર્થ સુખ-દુઃખ આપી શકતો નથી. આ તમામ ઘટનાઓથી એ સ્પષ્ટ થાય છે કે સુખદુઃખનું સંવેદન એ વ્યક્તિનો પોતાનો આંતરિક પ્રશ્ન છે. બાહ્ય પદાર્થ સુખ-દુઃખનું ઉદ્દીપન બની શકે છે, પરંતુ તેના મૂળ સ્રોત બની શકતા નથી. સુખ અને દુઃખનો મૂળ સ્રોતા
સુખ-દુઃખના મૂળ સ્રોત બેછે - (૧) શરીર, (૨) શુદ્ધ અને અશુદ્ધ ચૈતન્ય. આપણા શરીરમાં એક પ્રાણવિદ્યુત (વાઈટલ એનર્જી અને બાયો ઇલેક્ટ્રીસિટી) છે, આપણા શરીરમાં કેટલાંક રસાયણો છે અને આપણા શરીરમાં કેટલીક ગ્રંથિઓ છે. આપણી જૈવિક વિદ્યુતમાં થનારાં વિશેષ પ્રકારનાં પ્રકંપનો સુખ અને દુઃખ પેદા કરે છે. એ જ રીતે રાસાયણિક પ્રકંપનો દ્વારા પણ સુખ-દુઃખનાં સંવેદનો પેદા થાય છે. સુખ અને દુઃખની ગ્રંથિઓ પણ એ જ કામ કરે છે. આ પ્રકંપનોના અભાવે અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના ઘટવા છતાં સુખ કે દુઃખનું સંવેદન થતું નથી.
આત્મા જ સુખ-દુઃખનો કર્તા છે. જૈન દર્શનનો આ ધ્રુવ સિદ્ધાંત છે. તેનો સંબંધ કર્મવાદ સાથે છે. પ્રત્યેક શુભ કે અશુભ આચરણ સાથે કર્મ પરમાણુઓની વિશિષ્ટ સંરચના હોય છે. તેનો જેમ જેમ પરિપાક થાય છે તેમ તેમ સુખ કે દુઃખનું સંવેદન જાગે છે. તેનો પરિપાક રાસાયણિક અને વિદ્યુત પ્રકંપનો સ્વરૂપે પ્રગટ
મહાવીરનું અહિંસા-દર્શન • 116
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org