SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ થાયછે. હકીકતમાં વિદ્યુતીય પ્રકંપનો જ સુખ-દુઃખનું સંવેદન કરાવેછે. આ બિંદુ ઉ૫૨ આ૫ણે સુખ અને સુવિધા વચ્ચે ભેદરેખા દોરી શકીએ છીએ. સુવિધા અને સુખ એક નથી બીજી વ્યક્તિ સુવિધા આપી શકે છે પણ સુખ નથી આપી શકતી. જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને સુખ આપી શકે તો ‘આત્મા જ સુખ-દુઃખનો કર્તા છે’ એ સિદ્ધાંતની પ્રામાણિકતા ખતમ થઈ જાય. સિદ્ધાંતની પ્રામાણિકતા કે અપ્રામાણિકતા એ પણ મુખ્ય પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન તો એછે કે સંવેદના ચૈતન્યગત હોય છે. તે પદાર્થગત નથી. બીજી વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી શકે છે, પરંતુ દુઃખ નથી આપી શકતી. મુશ્કેલી અને દુઃખ એ બે એક જ નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ સુખી રહી શકે છે અને સુવિધાપૂર્ણ પરિસ્થિતિમાં પણ માણસ દુઃખી થઈ શકે છે. આ સંદર્ભમાં મહાવીર, બુદ્ધ, ઈસુ વગેરે અધ્યાત્મ પુરુષોની જીવનઘટનાનું અધ્યયન ઉક્ત નિષ્કર્ષની પુષ્ટિ કરે છે. તેમને દુઃખી કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. છતાં તેઓ દુઃખી ન થયા. ભગવાન મહાવી૨ ઉપ૨ એક ગોવાળ પ્રહારો કરી રહ્યો છે અને તેઓ એના ઉપર કરુણાની વર્ષા વરસાવી રહ્યાછે. ભગવાન બુદ્ધ ઉપર દેવદત્ત પ્રહારો કરી રહ્યોછેછતાં બુદ્ધ શાંતછે. મહા પ્રભુ ઈસુને શૂળીની સજા આપવામાં આવી રહીછે છતાં તેઓ સજા આપનારાઓ માટે મંગળ કામના કરી રહ્યાછે. શું તેઓ અને આ બધી વાતો સાચાં છે ? જો સાચાં હોય તો એનું ફલિત એ જ ગણાય કે આંતરિક પરિવર્તન થયા પછી બાહ્ય પરિસ્થિતિઓ પ્રભાવિત કરી શકતી નથી. અનુપ્રેક્ષા : એન્ટીબોડીના નિર્માણનો ઉપક્રમ આંતરિક પરિવર્તન માટે અનુપ્રેક્ષા અને પ્રેક્ષાના પ્રયોગોની ઉપક્ષા કરી શકાય નહિ. અનિત્ય, અશરણ, અન્યત્વ અને એકત્વ આ ચાર અનુપ્રેક્ષાઓ માનસિક તેમજ ભાવનાત્મક દુઃખની ચિકિત્સાના મહત્ત્વપૂર્ણ પ્રયોગો છે. સંયોગ અને વિયોગના ચક્રમાં જીવતી વ્યક્તિ સુખ-દુઃખના સંવેદનથી શી રીતે બચી શકે ? અનુકૂળનો યોગ થવાથી સુખનું સંવેદન થાય છે તો તેનો વિયોગ થવાથી મહાવીરનું અહિંસા-દર્શન ♦ 117 Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy