________________
સુખ-દુઃખના મૂળ સોતની શોધ
જૈનદર્શનમાં પ્રત્યેક વસ્તુનો વિચાર સંદર્ભ સહિત કરવામાં આવ્યો છે. સંદર્ભનાં અનેક બિંદુઓ હોઈ શકે. તેનાં ઓછામાં ઓછાં ચાર બિંદુ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્યની અપેક્ષાએ સુખ
અને દુઃખ પ્રાણીની અનુભૂતિ છે. સુખ અને દુઃખ આપણાં Flakson સંવેદનછે. તેમનું અસ્તિત્વન તો પદાર્થમાં હોય છે કે ન
કોઈ ઘટનામાં હોય છે. તર્કશાસ્ત્રમાં ઉપાદાન અને નિમિત્ત એ બંને દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. સુખ અને દુઃખનાં ઉપાદાન આપણા અંતરંગમાં છે, બાહ્ય
જગતમાં તેનાં નિમિત્તો હોઈ શકે પરંતુ તેની સત્તા નથી. પદાર્થ નથી આપતો સુખ કે દુઃખ
વ્યવહાર જગતમાં સુખ અને દુઃખનું આરોપણ બાહ્ય પદાર્થોમાં કરવામાં આવ્યું છે. ઈષ્ટ પદાર્થ સુખ આપનારા અને અનિષ્ટ પદાર્થો દુઃખ આપનારા માનવામાં આવ્યા છે. આ ખ્યાલના આધારે માણસ વધુમાં વધુ ઈષ્ટ પદાર્થોને સંગ્રહ કરવામાં અને અનિષ્ટ પદાર્થોને દૂર કરવામાં પ્રવૃત્ત રહે છે. નિમિત્તોને વધારે પડતું મહત્ત્વ આપવાને કારણે આપણી જાગરુકતા એ દિશામાં વધી
| મહાવીરનું અહિંસા-દર્શન - 115
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org