________________
સુધી પહોંચાડી શકશે. એકલા રાજનેતા પોતાના એરકંડીશન કાર્યાલયમાં બેસીને કોઈ સમસ્યા અંગે વિચાર કરશે તો તે પોલીસ અને લશ્કરની મદદથી એકતા ટકાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ પ્રજાના દિમાગમાં તે એકતાની વાત દૃઢ નહિ કરી
213.
હું એમ નથી માનતો કે ધર્મ દરેક વાતમાં પર્યાપ્ત નીવડી શકે છે. ધર્મ બધું જ કરી શકે છે એવો અમારો વિશ્વાસ નથી. ધર્મ કોઈ જાદુઈ લાકડી નથી કે જેને ફેરવવાથી બધું થઈ જાય !
જરૂર છે વિવેકની
આજે સમન્વિત પ્રયત્નો કરવાની જરૂર છે, વિવેકની જરૂરછે, વિશ્લેષણની જરૂર છે.
પિતાએ પોતાના પુત્રોને કહ્યું – બેટા ! ગાય અને ગોવાળ વચ્ચે શો તફાવત હોયછે ? એક પુત્ર તરત ઊભો થઈને બોલ્યો, પિતાજી ! વાત બિલકુલ સ્પષ્ટછે કે ગાય દૂધ આપે છે અને ગોવાળ દૂધ દોહે છે. બીજો પુત્ર બોલ્યો, એ વાત બરાબર નથી. પિતાએ પૂછ્યું તો પછી શો તફાવત છે ? એણે કહ્યું, ગાય શુદ્ધ દૂધ આપે છે અને ગોવાળ તેમાં પાણી ભેળવે છે.
આજે આ તફાવત સમજવાની જરૂ૨ છે. આપણે દૂધ આપનાર અને પાણી ભેળવનારના તફાવતને સમજી શકીએ, આપણી વિવેકચેતના જાગે અને આપણા અંતઃકરણની ચેતના જાગે. જે ચેતનામાં પોતાના માટે નહિ પરંતુ સૌ કોઈ માટે સમાન તકો હોય. જો સમન્વયની આવી ચેતના જાગી જાય તો રાષ્ટ્રીય એકતાનું સ્વમ યથાર્થ બની શકે. તે સિવાય રાષ્ટ્રીય એકતાની કલ્પના હંમેશાં અધૂરી જ રહેશે.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 114
For Personal and Private Use Only
www.jainelibrary.org