________________
ક્યારેક તે રાગભાવથી ઘેરાઈ જાયછે તો ક્યારેક તે દ્વેષથી ભરાઈ જાયછે. માણસ આ ભાવનાઓથી પ્રભાવિત જીવન જીવે છે અને આપણે ભાવનાત્મક વિકાસની અપેક્ષા કરી રહ્યાછીએ.
મૂળરસ્પર્શી દ્રષ્ટિ જાગે
મહાવીરે જીવનની બે દષ્ટિઓ બતાવી - સિંહદષ્ટિ અને શ્વાનદષ્ટિ. ઉપમા દ્વારા આ વાત સમજાવવામાં આવી. સિંહને ગોળી મારો તો સિંહ ગોળી તરફ ધ્યાન નહિ આપે પરંતુ જેણે ગોળી મારી હશે તેના ઉપર એ ત્રાટકશે. તમે કૂતરા તરફ પથરો નાખો તો તે પથરાને ચાટવા લાગશે, જેણે પથરો નાખ્યો છે એના તરફ એ ધ્યાન નથી આપતો. સિંહની દૃષ્ટિ મૂળ સમસ્યાને પકડનારી દૃષ્ટિછે અને કૂતરાની દૃષ્ટિ સમસ્યાને ટાળવાની દૃષ્ટિ છે. તેની દૃષ્ટિ મૂળ સુધી પહોંચતી નથી.
જો આપણે રાષ્ટ્રીય એકતા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરવો હોય અને તે સમસ્યાનું સમાધાન આપવું હોય તો આપણે તેના મૂળ સુધી જવું પડશે. લોકો વિચારેછે કે પંજાબની સમસ્યાછે, આસામની સમસ્યાછે અને મિજોરમની સમસ્યા છે. સમસ્યાના એક પાસાને આપણે સ્પર્શીએ છીએ પરંતુ સમસ્યાના મૂળ સુધી આપણે જતા નથી. સમસ્યાના સમાધાન માટે તેના મૂળ સુધી જવું જરૂરી હોયછે. આપણે આપણી કટ્ટરતાને કારણે બીજાઓના મનમાં સંદેહ પેદા કરી દઈએછીએ. બહુમતીને પણ સંદેહ થઈ જાય છે. પોતાની ભાવનાનો ગર્વ પણ થાય છે. ભાવનાનો આવો ગર્વ મેં પોતે સાંભળ્યો છે. એક બહુબોલા માણસે અમને કહ્યું હતું કે, આપ સમુદ્રમાં એક ટાપુ સમાન છો. છતાં આપ આવી વાત કરી રહ્યા છો ? એ સાંભળીને હું દંગ બની ગયો. જ્યાં મોટી સંખ્યાનો કે બહુમતનો ગર્વ હોય છે ત્યાં આવી વાત પેદા થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.
સમાધાનની દિશા
આજે એકતાના પ્રશ્ન અંગે ગંભીરતાપૂર્વક ચિંતન કરવું આવશ્યક છે. એ ચિંતન માત્ર રાજનીતિ દ્વારા જ ન થવું જોઈએ. હું એમ વિચારું છું કે આજે એવા ચિંતન માટે એક સમન્વય સમિતિ હોવી જોઈએ. તેમાં ધર્મગુરુ હોય, રાજનેતા હોય, સમાજનેતા હોય, અર્થશાસ્ત્રી હોય, માનવશાસ્ત્રી હોય અને શિક્ષણશાસ્ત્રી હોય. અનેક પ્રકારના લોકો એક રંગમંચ ઉપર બેસીને સમસ્યા અંગે વિચાર કરે. સમન્વિત પ્રયત્ન અને સમન્વિત વિચાર જ આપણને કોઈ સમાધાનની ફોર્મ્યુલા
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 113
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org