SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકતા નથી. કોઈ પણ સમસ્યા સામે આવે છે અને માણસ ગભરાઈ જાય છે. આજે જેટલો માનસિક તનાવ વધ્યો છે એટલી જ વ્યક્તિ વધુ અસહિષ્ણુ બની છે. શરીરબળ અને બુદ્ધિબળ તો વધતાં જાય છે પરંતુ જીવનનું મહત્ત્વનું પાસું – ભાવબળ – ઉપેક્ષિત છે. શું આ અસંતુલન માણસને રાષ્ટ્રીય એકતાની દિશામાં લઈ જશે ખરું? મને લાગે છે કે જ્યાં સુધી આપણે સંતુલિત વિકાસની દિશામાં પ્રસ્થાન નહિ કરીએ ત્યાં સુધી રાષ્ટ્રીય એકતાની દિશામાં આપણું પ્રસ્થાન શક્ય નહિ બને. એ એક વિડંબણા છે કે આપણે રાષ્ટ્રીય એકતાની વાત વિચારીએ છીએ. આપણી એકતા પડોશી સાથે પણ નથી, પરિવાર સાથે પણ નથી, ભાઈ સાથે પણ નથી ! અસંતુલિત વ્યક્તિત્વ આ બધા માટે જવાબદાર છે. જે દિવસે આપણું વ્યક્તિત્વ સંતુલિત બનશે તે દિવસે એકતાનો સ્વર આપોઆપ ગુંજી ઊઠશે. અણુવ્રત આંદોલને જે આચારસંહિતા રજૂ કરી છે તે રાષ્ટ્રીય એકતાની દિશામાં પ્રસ્થાનનું એક માધ્યમ બની શકે તેમ છે. પરંતુ માત્ર આચારસંહિતા દ્વારા પરિવર્તન થઈ શકતું નથી. પરિવર્તન માટે વ્યક્તિત્વનું રૂપાંતરણ આવશ્યક છે. આધુનિક ભાષામાં એમ કહી શકાય કે રાસાયણિક પરિવર્તનની જરૂર છે. જ્યાં સુધી વ્યક્તિનાં કેમિકલ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્રાવ બદલાશે નહિ ત્યાં સુધી વ્યક્તિ બદલાઈ નહિ શકે. પ્રશ્ન રાષ્ટ્રીય એકતાનો આ વૈજ્ઞાનિક યુગે આપણને અનેક નવી દષ્ટિઓ આપી છે. આપણને એ જાણવાની સગવડ થઈ છે કે કેવી રીતે વ્યક્તિને બદલી શકાય ? કૃષિ વિશ્વવિદ્યાલયોમાં ઘણી બધી વાતો બદલવામાં આવી રહી છે. દ્રાક્ષનાં બીજ બદલી નાખવામાં આવ્યાં છે. બીજ વગરની દ્રાક્ષ પણ પેદા કરી દેવામાં આવી છે. બીજા બદલી નાખવામાં આવે છે, રૂપ બદલી નાખવામાં આવે છે, બીજ વગરનાં ફળો પણ પેદા કરવામાં આવે છે. આ બધા સંસ્કરણના પ્રયોગો છે. આપણી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન માણસને બદલવાનો છે. સઘળી ચીજો બદલાઈ જશે પરંતુ માણસ નહિ બદલાય તો સમસ્યાઓ જેમની તેમ રહેશે. રાષ્ટ્રીય એકતાનો પ્રશ્ન થાય કે પરિવારની એકતાનો પ્રશ્ન હોય, આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ભાવાત્મક વિકાસ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય. માણસ ભાવનાના સ્તરે જીવે છે. તે ક્યારેક સુખી થાય છે તો ક્યારેક દુઃખી થાય છે. ન મહાવીરનું અહિંસા-દર્શન : 112 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy