________________
સંસ્થાઓમાં શરીરબળના વિકાસ માટે કેટલાક ઉપક્રમો ચાલી રહ્યા છે. બૌદ્ધિકબળની વૃદ્ધિના અનેક ઉપક્રમો ચાલી રહ્યા છે. જૂના જમાનામાં નાલંદા અને તક્ષશિલા જેવી એકાદ બે સંસ્થાઓ હતી કે જે બુદ્ધિબળના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ હતી. પરંતુ આજે એવી સંસ્થાઓ અગણિત બની ગઈ છે. આજે બૌદ્ધિક વ્યક્તિઓની કોઈ તંગી નથી પરંતુ માનસિક અને ભાવનાત્મક દષ્ટિએ સંપન્ન વ્યક્તિત્વ ખૂબ ઓછાં જોવા મળે છે.
આપણે બુદ્ધિ દ્વારા ઘણી બધી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણી અંતરદૃષ્ટિ વિકાસ નહિ પામે ત્યાં સુધી સમસ્યાઓની પરંપરા અનંત જ બની રહેશે. એક સમસ્યાનો ઉકેલ મળે એ પહેલાં બીજી બે નવી સમસ્યાઓ પેદા થઈ જશે. જ્યાં સુધી ભાવાત્મક વિકાસ નહિ થાય ત્યાં સુધી સમસ્યાઓના પૂરથી બચી નહિ શકાય. ક્રૂરતા શા માટે?
વર્તમાન સમસ્યાઓનું એક કારણ કરુણાનો અભાવ છે. છેલ્લી અડધી શતાબ્દીથી ક્રૂરતા ખૂબ વધતી રહી છે અને કરુણા ઘટતી રહી છે. સંવેદનશીલતાનો દોરો ક્ષીણ થતો રહ્યો છે. માણસ સમાજ પ્રત્યે સંવેદનશીલ હોય, બીજાઓને તે પોતાના સમાન સમજે, બીજાઓની પીડાને પોતાની પીડા સમજે એવાં તથ્યો આજે લગભગ વિસ્મૃત થઈ રહ્યાં છે. માનવીની હત્યા કરવી એ આજે તણખલું તોડવા જેવી સામાન્ય વાત બની ગઈ છે. થોડાક ધન માટે, પ્રલોભન માટે અને તદન તુચ્છ ઘટનાને કારણે માણસની હત્યા કરવાની વાત સામાન્ય બની ગઈ છે. આવી ક્રૂરતાનો વિકાસ શી રીતે થયો? એનું બીજું કારણ છે બૌદ્ધિક વિકાસની સાથે ભાવાત્મકવિકાસ તરફ પૂરતું ધ્યાન ન આપવું. જો બૌદ્ધિક વિકાસ અને ભાવાત્મક વિકાસ સંતુલિત હોત, સમાંતર હોત, મસ્તિષ્કના ડાબા પટલની સાથે સાથે જમણા પટલનો વિકાસ પણ થતો રહ્યો હોત તો આપણે આજે આવી જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ન હોત. રાષ્ટ્રીય એકતા જેવી સમસ્યા અંગે ચિંતા કરવાની જરૂર જ ન હોત. વ્યક્તિકત્વ સંતુલિત બને
મનોબળ અને ભાવનાબળ ક્યારેય બુદ્ધિ દ્વારા વધી શકતાં નથી. મનોબળના અભાવે જ આપણી સહનશક્તિ ઘટી રહી છે. આપણે કોઈપણ મુશ્કેલીને સહન
ન મહાવીરનું અહિંસા-દર્શન - 111 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org