________________
સંયુક્ત રાષ્ટ્ર
જેવો એક મંચ બને
-
માણસ સામ્રાજ્યવાદી મનોવૃત્તિથી ગ્રસ્ત હોય છે. ક્ષેત્ર બદલાય તો પણ તેની એ મનોવૃત્તિ નથી બદલાતી. સત્તાના આધારે સામ્રાજ્યનો વિસ્તાર થતો રહ્યો છે, વૈચારિક અને ધાર્મિક સામ્રાજ્યવાદ પણ છેર પામતા રહ્યા છે. વૈચારિક અને ધાર્મિક સામ્રાજ્યવાદી મનોવૃત્તિએ માનવજાતને જોખમમાં મૂકી દીધી છે અને આજે પણ તે ખતરનાક છે. હિંસાનું કારણઃ એકાધિકારવાદી મનોવૃત્તિ
વિચાર અને સંપ્રદાય એ અવાંછનીય જ છે નથી. અવાંછનીય છે. એકાધિકારની મનોવૃત્તિ. એક સંપ્રદાયના અનુયાયીઓ એમ ઇચ્છે છે કે સમગ્ર જગતમાં અમારો સંપ્રદાય ફેલાય અને સૌ કોઈ અમારા સંપ્રદાયને જ અનુસરે. આવી એકાધિકારવાદી મનોવૃત્તિએ હિંસા અને યુદ્ધને જન્મ આપ્યો છે. પોતાના સંપ્રદાયને વિસ્તારવાની એક પદ્ધતિ છે પ્રચાર, જો પ્રચાર દ્વારા તેનો લાવો ન થાય તો બીજી પદ્ધતિ અપનાવવામાં આવે છે અને તે છે બળપ્રયોગ. ઈતિહાસ સાક્ષી છે કે સંપ્રદાયના વિસ્તાર માટે બળ-પ્રયોગનો સહારો ઘણી વખત લેવામાં આવ્યો છે. બળાત્કારપૂર્વક મત પરિવર્તન કરાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સંપ્રદાયને
4 મહાવીરનું અહિંસા-દર્શન - 103 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org