________________
માત્ર વૈચારિક્તા અને ધાર્મિકતા સાથે જોડી શકાય નહિ. તે જોડાઈ જાય છે એક જાતિ અને એકાધિકારની પ્રવૃત્તિ સાથે. વ્યક્ત સ્વરૂપે આપણને દેખાય છે સાંપ્રદાયિક આગ્રહ અને સાંપ્રદાયિક કટ્ટરતા, પરંતુ તેની પશ્ચાદ્ભૂમાં છુપાયેલી હોય છે એકાધિકાર અને પ્રભુત્વ-વિસ્તારની મનોવૃત્તિ. સંપ્રદાયનું હોવું અનિવાર્ય પ્રક્રિયા છે
સંપ્રદાયો હતા છે અને રહેશે. જો આપણે એવી કલ્પના કરીએ કે સંપ્રદાયો હોય જ નહિ તો તે અશક્ય બાબત છે. અશક્ય એટલા માટે કે જ્યારે વિચારની સ્વતંત્રતા હોય ત્યારે સંપ્રદાયનું હોવું સ્વીકૃત બની રહે છે. જો આપણે કલ્પના કરીએ કે એક સંપ્રદાય, એક વિચાર અને એક જ દૃષ્ટિકોણ બની જાય તો તે અતિકલ્પના ગણાશે. માનવજાતિના વિકાસમાં તે બાધક બનશે. એનાથી વિકાસ કુંઠિત થશે. જો તમામ લોકો એક જ દૃષ્ટિએ વિચારવા લાગી જાય તો તે માનવસમાજનું સૌથી મોટું દુર્ભાગ્ય હશે. પાંચેય આંગળીઓને જે દિવસે એક જ કરી દેવામાં આવશે, તે દિવસે આપણી સઘળી કાર્યક્ષમતા સમાપ્ત થઈ જશે.
સંપ્રદાયનું હોવું એ અનિવાર્ય પ્રક્રિયા છે. આપણે એકાધિકારવાદી મનોવૃત્તિ અંગે વિચાર કરવો જોઈએ. સંપ્રદાયની સાથે બળ-પ્રયોગની શક્તિ ન જોડાય તો સમસ્યાના સમાધાનમાં એક ડગલું આગળ વધી જવાય. ભારતીય ચિંતનમાં વૈચારિક સ્વતંત્રતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જગતમાં કેટલાક સંપ્રદાયો એવા પણ છે કે જેઓ વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવતા નથી. તેઓ બંદૂકની અણીએ પોતાની વાત મનાવવામાં વિશ્વાસ ધરાવે છે. આવી સ્થિતિમાં મતાંધતાનું માથુ ઊંચકાય તે અસ્વાભાવિક નથી. સમસ્યા છે ધર્મમિશ્રિત જાતિ અને જાતિમિશ્રિત ધર્મ
આજે સાંપ્રદાયિકતાની સમસ્યાથી અનેક લોકો પીડિત છે. તેઓ ઇચ્છે છે કે તેમની સમસ્યાનું કોઈ સમાધાન મળે. સમાધાન માટે બે વર્ગના લોકો જવાબદાર છે. પ્રથમ નંબરે રાજનીતિના લોકો અને બીજા નંબરે ધર્મક્ષેત્રના લોકો. આજની સ્થિતિ એવી છે કે પક્ષીય શાસન અને એકાધિકાર માટે રાજનૈતિક પક્ષો સાંપ્રદાયિકતાને ઉત્તેજના આપી રહ્યા છે. આજની જાતીય સમસ્યા પણ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલી છે. તેને સર્વથા અલગ કરી શકાય તેમ નથી ચૂંટણી આ દિશામાં ખૂબ જવાબદાર
મહાવીરનું અહિંસા-દર્શન - 104
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org