________________
હત્યાઓ થઈ રહી છે, આત્મહત્યાઓ વધતી જાય છે, અપરાધની જાણે કે પરંપરા ચાલી રહી છે. જો આ બધી બાબતો તરફ ધ્યાન આપવામાં નહિ આવે તો આપણે ભટકી જઈશું. અહિંસાની દિશામાં પ્રસ્થાનનું આ જ આરંભબિંદુ હોવું જોઈએ.
પ્રેક્ષાધ્યાનનો સ્પષ્ટ ખ્યાલ છે કે શરીર, મન અને ભાવ સ્વસ્થ બને ત્યારે જ સમાજ સ્વસ્થ બની શકે છે. જો શરીર, મન અને ભાવ સ્વસ્થ ન હોય તો સામાજિક સ્વાથ્યની કલ્પના પણ કરી શકાય નહિ. સામાજિક સ્વાથ્ય એક પરિણામ છે, પ્રવૃત્તિ નથી. સ્વસ્થ સમાજની સંરચના આપણો પ્રથમ ઉદેશ હોવો જોઈએ. જો સ્વસ્થ સમાજની સંરચના શક્ય બને તો યુદ્ધ અને શસ્ત્રીકરણનો સ્વર પણ પ્રગટ નહિ થાય. યુદ્ધ અને શસ્ત્રીકરણ રોગી મસ્તિષ્કની નિપજ છે.
એક વખત મેં કહ્યું હતું કે જે લોકો સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠા છે, જેમના હાથમાં દેશનું ભાગ્ય છે, તે વ્યક્તિઓની પિટ્યુટરી ગ્લેન્ડનું દર ત્રણ મહિને પરીક્ષણ થવું જોઈએ. તેમની પિટ્યુટરી ગ્લેન્ડ સ્વસ્થ અને સક્રિય છે કે નહિ એ વાત પ્રમાણિત કરતા રહેવું જોઈએ.
જ્યારે વ્યક્તિની પિટ્યુટરી ગ્લેન્ડ નિષ્ક્રિય બને છે અથવા તો રોગી બને છે ત્યારે યુદ્ધ અને શસ્ત્રીકરણની વાત ઊભી થાય છે. પિટ્યુટરી ગ્લેન્ડ, જેને પ્રેક્ષાધ્યાનની ભાષામાં દર્શનકેન્દ્ર કહેવામાં આવે છે, તે અંતર્દષ્ટિનું મહત્ત્વનું કેન્દ્ર છે. જો સત્તા ઉપર બેઠેલા રાજનીતિજ્ઞો, રક્ષણમંત્રી, રક્ષણસચિવ અને સૈનિક અધિકારીઓનું દર્શનકેન્દ્ર (પિટ્યુટરી ગ્લેન્ડ) જાગૃત થઈ જાય તો યુદ્ધ અને શસ્ત્રીકરણ માત્ર કલ્પનાલોકની વાત બની રહે. દર્શનકેન્દ્ર આપણું ત્રીજું નેત્ર છે, આપણી પ્રજ્ઞાનું ક્ષેત્ર છે. આપણને બે આંખો છે. એક આંખ પ્રિયતાનું સંવેદન કરે છે, બીજી આંખ અપ્રિયતાનું સંવેદન કરે છે. દર્શનકેન્દ્ર ત્રીજી આંખ છે. તે ન તો પ્રિયતાનું ક્ષેત્ર છે કે ન તો અપ્રિયતાનું ક્ષેત્ર છે, પરંતુ એ સમતાનું ક્ષેત્ર છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે – સમવં યોગ ઉચ્યતે - સમતા એ જ યોગ છે. ભગવાન મહાવીરે કહ્યું – સમયા ધમ્મ મુદાહરે મુણી - સમતા એ જ ધર્મ છે. સમતા એ જ અહિંસા છે. અપેક્ષા એ છે કે આપણું સૌનું ત્રીજું નેત્ર જાગે, સમતાની ચેતના જાગે, તો અહિંસાની ચેતના આપોઆપ પ્રતિષ્ઠિત થઈ જશે.
મહાવીરનું અહિંસા-દર્શન 102,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org