SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી તુલસીએ ઘણી વખત કહ્યું છે - હું વાચિક ધર્મમાં વિશ્વાસ નથી રાખતો. તેની સાથે કોઈ એવો પ્રયોગાત્મક કાર્યક્રમ હોવો જોઈએ, જેના થકી વ્યક્તિનું હૃદય બદલાઈ જાય. અનેક વ્યક્તિ ક્રોધથી દુઃખી છે. ક્રોધ સિદ્ધાંતથી કે કોઈ ધર્મના ઉપદેશ માત્રથી છૂટી જાય, તે શક્ય નથી લાગતું, પરંતુ પ્રયોગથી તેનું છૂટવું શક્ય છે. એક વ્યક્તિ નશાની આદતથી પીડિત છે, તે ડ્રગ લે છે. તેને એક એવા વિશિષ્ટ ચૈતન્ય-કેન્દ્ર પર ધ્યાન કરાવવાથી નશાની આદત સમાપ્ત થઈ શકે છે. એ પ્રયોગથી વ્યક્તિની અંદર એક રાસાયણિક પરિવર્તન ઘટિત થાય છે અને નશાની આદતથી મુક્તિ મળે છે. ખેદનો વિષય આપણા શરીરની અંદર અહિંસાની સ્વિચ પણ વિદ્યમાન છે અને હિંસાની સ્વિચ પણ વિદ્યમાન છે. એ આપણા પર નિર્ભર છે કે આપણે કઈ સ્વિચ ઓન કરવી અને કઈ સ્વિચ ઓફ કરવી. જો અહિંસાના પ્રશિક્ષણની ત્રિવર્ષીય કે પંચવર્ષીય યોજના રજૂ કરવામાં આવે, અને આ અહિંસા અને વિશ્વશાંતિ સંમેલનમાં ભાગ લેનારા પ્રતિનિધિઓ તે યોજનાની ક્રિયાન્વિતીની જવાબદારી ઊઠાવે તો હિંસાની સામે એક સશક્ત અહિંસાત્મક શક્તિ પેદા થઈ જાય. એ અત્યંત ખેદની વાત છે કે આજે શિક્ષણનું તંત્ર સરકારના હાથમાં છે. જો તે પ્રજાના હાથમાં હોય અને તેમાં અહિંસાના શિક્ષણનો ઉપક્રમ જોડી દેવામાં આવે તો અહિંસાની એક શક્તિશાળી પેઢી તૈયાર થઈ જાય. જીવન જીવનવિજ્ઞાનના પ્રશિક્ષણનો પાઠ્યક્રમ છે. જો તેને શિક્ષણના ક્ષેત્રમાં લાગુ કરવામાં તો તેનાં આશ્ચર્યજનક પરિણામો પ્રાપ્ત થઈ શકે. પ્રસ્થાનનું આરંભબિંદુ હિંસા એક પરિણામ છે, પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિની સમાપ્તિ વગર પરિણામને ટાળી શકાતું નથી. વૃક્ષ લહેરાઈ રહ્યું હોય અને આપણે ફળને મિટાવવા ઇચ્છીએ તો તે શક્ય નથી. આપણે અહિંસાના મૂળ સુધી પહોંચીયે, તેના ઉપર પ્રહાર કરીએ તો આપણને તેનાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત થશે. આજે શાંતિની વાત કરનારા લોકોનું ધ્યાન યુદ્ધ-વર્જન, નિઃશસ્ત્રીકરણ વગેરે ઉપર અટકી ગયું છે. એ બધા ઉપર ધ્યાન કેન્દ્રિત થવું અનાવશ્યક નથી. પરંતુ આપણું ધ્યાન એક વખત એ દિશામાંથી ખસવું જોઈએ. એક સ્વસ્થ સમાજમાં દરરોજ મહાવીરનું અહિંસા-દર્શન - 101. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy