________________
જે ઈમોશન્સ છે, ભાવછે તેમનું ઉત્પત્તિ સ્થળ છે લિમ્બિક સિસ્ટમ અને તેનો એક ભાગ હાઇપોથેલેમસ. આપણે ચેતન સ્તર પર અહિંસાની વાત કરીશું તો લોકો તેને નહિ માને, આપણે આપણા ઉદેશમાં સફળ નહિ થઈએ.
અહિંસાના પ્રશિક્ષણ માટે ચેતનાના સૂક્ષ્મ સ્તરો સુધી જવું અપેક્ષિત છે. આપણા શરીરની અંદર બે સૂક્ષ્મ શરીર છે – શટલ બોડી (તેજસ શરીર) અને શટલેટ બોડી (કાર્પણ શરીર). અહિંસાના પ્રશિક્ષણ માટે આ શરીરો સુધી પહોંચવું જરૂરી છે. એક પુસ્તક છે – પ્રેક્ષાધ્યાન અનુપ્રેક્ષા. તેમાં હૃદય-પરિવર્તનના ત્રેવીસ પ્રયોગ સમાવિષ્ટ છે. તે બધા અહિંસાના પ્રશિક્ષણના પ્રયોગ છે. માત્ર સિદ્ધાંતમાં આપણને વિશ્વાસ નથી. સિદ્ધાંત અને પ્રયોગ - બંનેનો યોગ મળે તો પરિવર્તનની શક્યતા થઈ શકે છે. અહિંસાની પ્રતિષ્ઠા માટે પ્રયત્નશીલ વ્યક્તિ અહિંસાની માત્ર ચર્ચા જ ન કરે, એના પ્રશિક્ષણની પ્રાયોગિક પદ્ધતિ પણ શીખે, જરૂરી છે. કરોડો સૈનિકોને યુદ્ધનું પ્રશિક્ષણ અપાય છે. શું હજારો લોકોને અહિંસાનું પ્રશિક્ષણ ન આપી શકાય? માત્ર સિદ્ધાંતનું શું પરિણામ હોય છે, આ સંદર્ભમાં આ કથા અપ્રાસંગિક નહિ ગણાય.
એક કવિ મહાશય એક શેઠ પાસે ગયા. શેઠને પોતાની પસંદગીની સારી કવિતાઓ સંભળાવી. શેઠ કવિતાઓને સાંભળીને ખુશ થઈ ગયા. તેમણે કવિને ધન્યવાદ આપતા કહ્યું – તમે કાલે આવજો. હું તમને એક મણ અનાજ આપીશ. કવિ ખુશ થઈને જતો રહ્યો. બીજા દિવસે સવારે તે શેઠના ઘેર પહોંચ્યો. શેઠે પૂછ્યું - કવિ મહાશય! કેમ આવ્યા છો? કવિ બોલ્યો – શેઠજી ! કાલે તમે જ કહ્યું હતું એક મણ અનાજ આપવાનું. શેઠે હસતાં-હસતાં કહ્યું – ખરા કવિ થયા છો ! કોને અનાજ આપવાનું છે? તમે મને બોલીને ખુશ કર્યો અને મેં તમને બોલીને ખુશ કર્યા. હવે કોઈ લેવડ-દેવડ બાકી નથી. પ્રાયોગિક ઉપક્રમ જ કારગર
આજે કંઈક આવું જ ચાલી રહ્યું છે. વક્તા બોલીને શ્રોતાને રાજી કરી દે છે અને શ્રોતા ધન્યવાદ આપીને વક્તાને ખુશ કરી દે છે. પરંતુ તેનું કોઈ સ્થાયી પરિણામ નથી હોતું. જ્યાં સુધી આપણી પાસે કોઈ પ્રશિક્ષણાત્મક કાર્યક્રમ નહિ હોય, ત્યાં સુધી અહિંસાની વાત સફળ નહિ થાય. જો આ વિચારધારાને વ્યાપક બનાવી શકાય તો પ્રશિક્ષણનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે.
| મહાવીરનું અહિંસા-દર્શન • 100.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org