________________
પિચ્યુટરી ગ્લેન્ડનું પરીક્ષણ થવું જોઈએ
Jain Educationa International
વર્તમાન સમાજ હિંસાથી દુ:ખી છે. એ માટે અહિંસાની માંગ વધી રહી છે. વિશ્વના ખોળામાં અહિંસાની ચર્ચા પ્રબળ થઈ છે, એનું મૂલ્ય વધ્યું છે. માત્ર અહિંસાની ચર્ચા-વિચારણાથી જ કોઈ સાર્થક પરિણામ આવી જશે એ આ શક્ય નથી લાગતું. શું અહિંસાને શક્તિશાળી બનાવવાનો કોઈ કાર્યક્રમ આપણી પાસે છે ? શું અહિંસાનું પ્રશિક્ષણ આપવાની કોઈ યોજના છે ? કરોડો-કરોડો સૈનિકોને યુદ્ધ અને અહિંસાનું પ્રશિક્ષણ મળેછે. શું અહિંસાના ક્ષેત્રમાં પણ આવાં પ્રશિક્ષણ ચાલી રહ્યાંછે? આ જ્વલંત પ્રશ્ન પ્રત્યેક અહિંસક વ્યક્તિ સમક્ષ છે.
અહિંસક પ્રશિક્ષણના પ્રયોગ
વિશ્વમાં બે શક્તિઓછે - બળ-પ્રયોગની શક્તિ અને હૃદય-પરિવર્તનની શક્તિ. બળ-પ્રયોગની શક્તિ બહુ વિકાસ પામી રહી છે અને હૃદયપરિવર્તનની શક્તિનો વિકાસ ઉપેક્ષિત છે. હૃદય-પરિવર્તન અહિંસાનો પ્રાણ છે. હૃદયનો મતલબ માત્ર પંપિંગ કરનારું હૃદય નથી. પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં જેને હૃદય કહેવાય છે, તે મસ્તિષ્કનો એક ભાગ હાઇપોથેલેમસ છે. આપણા
મહાવીરનું અહિંસા-દર્શન
99
For Personal and Private Use Only.
www.jainelibrary.org