________________
ગણાધિપતિ તુલસી અગ્રિમ વર્ષ (૧૯૮૯)ને યોગક્ષેમ વર્ષ રૂપે ઉજવી રહ્યા છે. એ વર્ષનો મુખ્ય ઉદેશ છે – આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિર્માણ. એવું વ્યક્તિત્વ જેમાં અધ્યાત્મ અને વિજ્ઞાન બંને સમાનપણે સમાયેલાં હોય. માત્ર અધ્યાત્મ જ ખૂબ ઉપયોગી હોતું નથી અને માત્ર વિજ્ઞાન ખૂબ ખતરનાક હોય છે. આ સંતુલન એક સમસ્યા છે, જેનું સમાધાન શોધાઈ રહ્યું છે યોગક્ષેમ વર્ષમાં. જો આ કોન્ફરન્સમાં ભાગ લેનારા યોગક્ષેમ વર્ષ ઉજવે તો અહિંસા સફળ થઈ જશે.
આધ્યાત્મિક-વૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિર્માણ માટે કેટલીક વાતો તરફ ધ્યાન દોરવું જરૂરી છે -
- પ્રવૃત્તિ-નિવૃત્તિનું સંતુલન - અનુકંપી-પરાનુકંપી તંત્રનું સંતુલન - મસ્તિષ્કના જમણા અને ડાબા પડખાનું સંતુલન
આ કોન્ફરન્સમાં ભાગ લેનારા આ સંતુલનને સાધી શકે તો અહિંસાનું એક રૂપ જગતની સામે પ્રસ્તુત થશે અને આ કોન્ફરન્સ આ સંતુલનના સૂત્રને લોકો સુધી પહોંચાડવામાં સફળ થઈ જશે. હું આશા રાખું છું કે – આ સંતુલનનું સૂત્ર આ કોન્ફરન્સના માધ્યમથી લોકો સુધી પહોંચશે અને અહિંસાને વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મળશે. જો એવું થશે તો અહિંસા માટે આયોજિત આ કોન્ફરન્સ બપોરના સૂર્યની જેમ ચમકી ઊઠશે. અહિંસાનું શુભ અને તેજસ્વી રૂપ પ્રફુટિત થઈ શકશે.
ન મહાવીરનું અહિંસા-દર્શન 98 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org