SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વશ થઈને પણ બાળક પોતાની પ્રવૃત્તિ કરે છે. બાળક તો શું, મોટી વ્યક્તિઓ પણ ભય અને લોભને આધીન હોય છે અને એમના જીવનનું તે એક સંચાલક પરિબળ હોય છે. જરા બણમાં જઈને વિચાર કરીશું તો લાગ્યા વિના નહિ રહે કે આપણા સમગ્ર જીવનનો દોરીસંચાર આ બન્ને પરિબળો કરી રહ્યાં હોય છે. જીવનના દરેક વ્યવહાર ઉપર તેની અસર વર્તાય છે અને નિરંતર થતો આ વ્યવહાર આપણા વ્યક્તિત્વને ઘડે છે. અરે, ઘર્મ જે પારમાર્થિક હોવો ઘટે તેનું સંચાલક બળ પણ મોટે ભાગે ભય કે લોભ રહે છે. સ્વર્ગ અને નરકની વાતો પાછળ લોભ અને ભય કામ કરી રહ્યા હોય છે. પાપ કરીશું તો પરલોક બગડશે અને વેદનાભર્યું જીવન મળશે એવા ભયથી પણ ઘણા લોકો ધર્મ કરે છે. ધર્મ કરીશું તો સ્વર્ગ મળશે, સુખ મળશે એ વાત પણ અમુક સ્તરે લોકોને ઘર્મ આચરવા પ્રેરે છે. આ લોકમાં પણ સુખ-સગવડ, ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે ધર્મ થાય છે. અનિષ્ટના નિવારણ માટે ધર્મ થાય છે. જરા કલ્પના તો કરી જુઓ કે જો ભય અને પ્રલોભન બને ન રહે તો કેટલા લોકો ધર્મ કરે ? આપણા સમગ્ર વ્યવહાર ઉપર આ બન્ને પરિબળો એટલાં તો વ્યાપક રીતે છવાઈ ગયાં છે કે તેના વિના આપણું જીવન જાણે શૂન્યવત્ થઈ જાય. ભય અને પ્રલોભનનું ગુરુત્વાકર્ષણ લોકોને ધર્મ પ્રતિ ખેંચે છે. આપણે માત્મા-પરમાત્માની ભલે ગમે એટલી વાતો કરીએ તો પણ વાસ્તવિકતામાં કેટલા લોકો તેને લક્ષમાં રાખીને ધર્મ કરે છે ? મનુષ્યના વ્યક્તિત્વ ઉપર ભય અને પ્રલોભનનો ઘણો મોટો પ્રભાવ છે. જો આ બંને પરિબળોનું અસ્તિત્વ ન રહે તો મનુષ્ય કાં તો પશુતા તરફ સરકી જાય કે બિલકુલ પરમાર્થ તરફ ચાલ્યો જાય. પરમાર્થની દષ્ટિનો વિકાસ સમાજમાં એટલો સરળ નથી. વળી એ માર્ગ સીધાં ચઢાણવાળો છે જ્યારે પશુતા તરફનો માર્ગ લપસણો છે જેના ઉપર વિના પ્રયાસે માણસ સરકી શકે છે. સૈદ્ધાંતિક રીતે આ વાતને તપાસીએ તો ભય અને પ્રલોભન વિનાના સમાજમાં બે જ વિકલ્પ રહે. એક છેડો માનવતાના બિલકુલ પતનનો છે અને બીજો છેડો મનુષ્ય જાતિના પૂર્ણ વિકાસનો છે. આ બંને વિકલ્પોની વચ્ચેનો વિકલ્પ છે ભય અને પ્રલોભનનો; જેને આધારે આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આપણે વ્યક્તિત્વનું નિર્માણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy