SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જ તે કરી શકે છે. - જ્યારે તમારનું છે. મન ગ્રહણ કરીને તેનો સંચય પણ કરી લે છે. વર્તમાનની સ્મૃતિ સાચવી શકે છે. યોગ્ય નિમિત્ત મળતાં તેની પ્રતિક્રિયા રૂપે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છેકાર્યમાં જોડે છે. વર્તમાન જ્ઞાન કે અનુભવોને આધારે ભાવિની કલ્પના પણ કરે છે. છતાંય આ બધું અમુક મર્યાદામાં જ તે કરી શકે છે. બુદ્ધિનું કામ મનથી ઉપરના સ્તરનું છે. મન ઇન્દ્રિયોની સહાયથી પોતાનું કાર્ય કરે છે. જ્યારે બુદ્ધિ મનની સહાયથી પોતાનું કાર્ય કરે છે. બુદ્ધિ જન્મની સાથે ઉત્પન્ન થાય છે ત્યાર પછી તેનો વિકાસ થતો નથી. તેને ભણતર સાથે ઝાઝી લેવા દેવા નથી. વિદ્યાનો વિકાસ થઈ શકે પણ તેને બુદ્ધિનો વિકાસ ન ગણી શકાય. અભણ માણસ પણ બુદ્ધિશાળી હોય અને ભણેલો બુદ્ધિની ઊણપવાળોય હોય. જ્ઞાન-માહિતી બહારથી આવે છે. પણ બુદ્ધિ બહારથી નથી આવતી. ઊલટાનું એમ બને કે બુદ્ધિ નવા જ્ઞાનને ઉત્પન્ન કરી શકે - નવું સંશોધન કરી શકે. મન મોટાભાગે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી માહિતી-અનુભવો વગેરેનું સંકલન કરે કે વિશ્લેષણ કરે છે પણ નિર્ણય કરવાનું કે વિવેક કરવાનું કાર્ય બુદ્ધિ કરે છે. ઇન્દ્રિય સ્તરની ચેતનાથી અધિક સામર્થ્ય માનસ સ્તરની ચેતનાનું છે પણ બુદ્ધિના સ્તરની ચેતના માનસ સ્તરની ચેતના કરતાં વધારે સમર્થ છે. બુદ્ધિના સ્તરની ચેતનાનું સ્થાન ઇન્દ્રિય સ્તરની ચેતના કે મનના સ્તરની ચેતનાની ઉપર છે પણ અતીન્દ્રિય ચેતનાની નીચેનું છે. મન-બુદ્ધિ-ચિત્ત એ બધાંય ચેતનાનાં વિવિધ સ્તરો છે પણ વ્યવહારની ભાષામાં આ બધા શબ્દો ઘણીવાર એકબીજાને સ્થાને વપરાતા જોવા મળે છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો ચિત્ત તો બુદ્ધિના પર્યાય જેવું જ લાગે છે. આપણે વ્યવહાર ને નિશ્ચયની ભાષાનો ભેદ ચિંતનમાં સમજી લેવો રહે છે. વ્યવહારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે એટલે કે મન જ બાંધે છે અને મન મુક્ત કરાવે છે. વ્યવહારની ભૂમિકા ઉપર આ કથન સામે આપણે કંઈ કહેવાનું નથી પણ જ્યારે આપણે નિશ્ચયની દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે આ કથન યોગ્ય નથી લાગતું. મન એ કોઈ સ્થાયી તત્ત્વ નથી. એ તો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે પણ પ્રવાહ સ્વરૂપે તે ચાલુ જ રહે છે. બંધન મનનું સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy