SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે વાતને પકડીએ છીએ તેના ઉપર તેનો આધાર છે. પણ આપણે એ વાત વિચારવી રહી કે મનનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. મનને કાર્યાન્વિત કરનાર પ્રવાહ સૂક્ષ્મ શરીર એટલે કે કર્મશરીરમાંથી આવે છે. કર્મશરીરમાં જે સંસ્કારો – જે વાસનાઓ પડેલી હોય છે તે મનના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. જેમ આપણા સ્થૂળ શરીરમાં વૃત્તિઓનાં કેન્દ્રો છે તેમ સૂક્ષ્મ શરીરમાં સંસ્કારના કેન્દ્રો છે જ્યાં સંસ્કારનો સંચય થયેલો હોય છે. આમ જોઈએ તો આપણા મનમાં પણ વિવિધ સ્તરો છે. ઉપરનું મન જેને આપણે ધૂળ મન કહી શકીએ પણ તેની શક્તિ તો ઘણી અલ્પ છે. મનનાં અંતઃસ્તરોથી આપણે ઘણા અજાણ છીએ જેને અવચેતન મન કહે છે. અવચેતન મન સૂક્ષ્મ છે અને ઘણું શક્તિશાળી છે છતાંય તેની ક્ષમતાને પણ સીમા છે. તેનો કાર્યપ્રદેશ અમુક હદ સુધી જ પ્રવર્તે છે. જ્યારે આ અવચેતન મનની ય પાર સંસ્કારનું-શક્તિનું મોટું કેન્દ્ર છે જે સૂક્ષ્મ શરીરમાં રહેલું છે. અવચેતન મન તો આ ભવના સંસ્કારોને ગ્રહણ કરી શકે છે અને સંચિત કરી લે છે જ્યારે કર્મશરીર તો કેટલાય જન્મોના સંસ્કારોને ધારણ કરે છે.મનને ચંચળ કરનાર પ્રવાહ કર્મશરીરમાંથી આવે છે. આમ તો જીવનના આપણા વ્યવહારોનો મુખ્ય આધાર સ્થળ મન છે, પણ જ્યારે સાધનાનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે સ્થળ મન ઉપર અટકી ન શકીએ. સાધનાના માર્ગ ઉપર પ્રગતિ કરવા માટે આપણે શરૂઆત તો સ્થૂળથી જ કરવી પડશે પણ આપણી ગતિ ધૂળથી સૂક્ષ્મ પ્રતિ રહેશે. સ્થૂળના સ્તર ઉપર આપણે સૂક્ષ્મનો અસ્વીકાર ન કરી શકીએ. સૂક્ષ્મ ઉપર પહોંચતાં તો સ્થૂળ વિષેના આપણા પ્યાલો આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. મનની જ્યારે વાત કરીએ ત્યારે આપણા મનમાં બુદ્ધિનો પ્રશ્ન ઊઠવાનો કારણ કે બુદ્ધિ મનની ખૂબ નજીક છે અને તેની સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. જો આપણે મનની પ્રક્રિયાને ઠીક રીતે સમજ્યા હોઈશું તો બુદ્ધિનો પ્રશ્ન એટલો મૂંઝવનારો નહિ રહે. મનનું કાર્ય ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત થાય છે તેને ગ્રહણ કરવાનું છે અને અંદરથી જે આવેગ આવે છે તેને ઇન્દ્રિયો સુધી પહોંચાડવાનું છે. મન વર્તમાન અનુભવોને કે માહિતીને – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy