SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આગળનો માર્ગ તય કરી શકે છે. આ માટે છે મૌનની સાધના. સંપૂર્ણ મૌન. આપણે મૌનનો અર્થ વાણીના સંયમ જેટલો મર્યાદિત કરી નાખ્યો છે - તેનાથી ઝાઝો અર્થ ન સરે. થોડાક સ્થૂળ લાભ અવશ્ય થાય પણ સંપૂર્ણ મૌન સિવાય પ્રાણશક્તિનો આવિર્ભાવ ન થઈ શકે. સંપૂર્ણ મૌન સાધવા માટે કાયાને સ્થિર રાખવી પડે. વાણીનો સંવર કરવો પડે અને ત્યાર પછી મનની ગુપ્તિ થઈ શકે. ગૌતમ સ્વામી, ભગવાન મહાવીરને એક વાર પૂછે છે, "ભગવાન, મૌનથી શું લાભ થાય ? મૌનની નિષ્પત્તિ શું છે ?" ભગવાન ઉત્તરમાં કહે છે - “વચનગુપ્તિથી મનુષ્ય નિર્વિચારિતા પ્રાપ્ત કરે છે. તેના વિચારો સમાપ્ત થઈ જાય છે. વચનગુપ્તિ અને નિર્વિચારિતાને ગાઢ સંબંધ છે. બને ગાઢ રીતે સંકળાયેલાં છે. સ્થૂળ ભૂમિકા ઉપર તો મૌનના ઘણા લાભ છે પણ મૌનનો મોટો લાભ છે વિચારોનું વિસર્જન – વિચારોનું નિરસન. મૌનનો અર્થ છે વાણીનો સર્વથા અપ્રયોગ. કેવળ વાણીનો નહિ, શબ્દનો પણ સર્વથા અપ્રયોગ. માતૃકા તેમજ ધ્વનિનો પણ સંપૂર્ણ અપ્રયોગ. આ અવસ્થા વાક-સંવરની અવસ્થા છે જ્યાં વર્ણનો કોઈ પ્રયોગ હોતો નથી. બહાર પણ નહિ અને અંદર પણ નહિ. બહાર અને અંદર બને શબ્દ-સ્થાનો ઉપર શબ્દનો સર્વથા અપ્રયોગ થતાં વાફ-સંવર સંપૂર્ણ રીતે સધાય. આવો વાકુ-સંવર સધાતાં ધ્વનિ પ્રાણમય બની જાય છે જેને “પરા” અવસ્થા કહે છે. ધ્વનિ પ્રાણમય ભૂમિકા ઉપર સ્થિર થતાં શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર થાય. અસ્તિત્વની અનુભૂતિ થાય, આત્માની પ્રતીતિ થાય. મૂળમાં તો ધ્વનિ આપણા અંતરમાં પ્રાણમય ભૂમિકા ઉપર હોય છે જે સ્વભાવત: સૂક્ષ્મ હોય છે પણ આપણે સતત તેને બહાર તરફ ફેંકીએ છીએ અને બહાર આવતાં ઉત્તરોત્તર તે સ્થૂળ બનતો જાય છે. સાધનામાં બહાર વહેતી આ પ્રાણશક્તિને અંદર વાળીને તેની અનુભૂતિ કરવાની છે. શબ્દ દ્વારા વેડફાતી પ્રાણધારાને જ પકડીને પાછે પગલે તેના મૂળ સુધી લઈ જવાની છે. આત્મશક્તિનો આવિર્ભાવ કરવા માટેનો જે સાધનાપથ છે તેમાં આ રીતનો વાફ-સંવર આમ ખૂબ મહત્ત્વનો છે. – ૬૦ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy