SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે તેને સમેટી લઈને અંદર તરફ સુષુમ્હાને માર્ગે પ્રવાહિત કરવાથી મન શાંત થઈ જાય છે, પ્રાણ વધારે શક્તિશાળી બની જાય છે અને અસ્તિત્વને પ્રગટ થવા માટેનો માર્ગ સરળ થઈ જાય છે. પ્રાણની ધારાને શાંત કરતાં મન શાંત થઈ જાય છે. પણ અહીં એક પશ્ન સહજ ઉપસ્થિત થાય છે કે પ્રાણ તો જીવન છે. તેના ધબકારા સાથે જીવનની અનુભૂતિ થાય છે તો પછી સાધનામાં આ પ્રાણને શાંત કરવાની, શિથિલ કરવાની વાત કેવી રીતે સુસંગત છે ? આમ, દેખીતી રીતે વિરોધાભાસ લાગે છે પણ વાસ્તવમાં એ વિરોધ નથી. જેમ સંઘર્ષમાં ઊતરતાં પહેલાં કુસ્તીબાજ શરીરને વધારે પુષ્ટ કરે છે અને તેને આરામ આપે છે તેમ પ્રાણની આ ધારાને પુષ્ટ કરવા માટે તેને શિથિલ કરવી જરૂરી છે. પ્રાણની ધારા શિથિલ થાય પછી તેને અંદર તરફ વાળવાનું કાર્ય સરળ બને છે. વળી જે પ્રાણશક્તિ બહાર વહી જઈને વેડફાતી હતી તે હવે ભેગી થઈને વધુ બળવાન બને છે તેથી તે અસ્તિત્વ સુધી પહોંચવા વધારે સક્ષમ રહે છે. તેથી તો સામાન્ય વ્યવહારમાં સાધકની ગતિવિધિ ઊલટી લાગે છે. વ્યવહારમાં સક્રિયતાનું મૂલ્ય અંકાય છે. જ્યારે સાધક બહારથી નિષ્ક્રિય લાગે છે. વ્યવહારમાં વાણીનો વિલાસ વખણાય જ્યારે સાધક મૌનની પરિભાષા સ્વીકારે છે. બહારથી સાધક તદ્દન નિષ્ક્રિય લાગે છે પણ તેની પાછળનું એ રહસ્ય છે કે સાધક પ્રાણધારાને સમેટી લઈ અંદર તરફ વાળતો હોય – તેથી વાસ્તવમાં તે પ્રચંડ પુરુષાર્થ કરતો હોય છે. સાધક પ્રાણને સ્પંદનની અવસ્થામાંથી નિ:સ્પંદન તરફ લઈ જતો હોય છે જે ખરેખર તો પ્રાણની શક્તિને બળવત્તર કરવાની અદ્ભુત કલા છે. પ્રાણને નિષ્યંદન કરવાથી મન શાંત થઈ જાય છે. શ્વાસ શાંત થઈ જાય છે. તો પ્રશ્ન એ રહે છે કે આ કાર્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? તે માટે યોગમાં વિવિધ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. એ માટે પહેલો રસ્તો છે કપાલભાતિ પ્રાણાયામનો. આ પ્રાણાયામ સધાતાં પ્રાણની ધારા જે આમ-તેમ વહેતી હોય છે તે ભેગી થઈને સુષુમ્નાને માર્ગે એટલે પૃષ્ઠરજ્જુના પોલાણમાંથી ઉપરની તરફ મધ્યવર્તી થઈને વહેવા લાગે છે. મહાવીરની સાધનાનો મર્મ ૩૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy