SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, આપણે પ્રાણના મહત્ત્વ ઉપર વિચાર કર્યો, તેનું સંચાલન કેવી રીતે થાય છે અને કયાં સ્થાનો ઉપર તે વિશેષ રીતે પ્રગટ થાય છે તે વાત જોઈ ગયા. પણ મહત્ત્વની બાબત છે પ્રાણ સાધવાની. યોગીઓ પ્રાણ સાધે છે અને તે માટે જીવનભર તપશ્ચર્યા કરે છે. તો સહજ પ્રશ્ન થાય જ કે પ્રાણ શા માટે સાધવો અને કેવી રીતે સધાય ? આપણા શરીરમાં ચૈતન્યની શક્તિની પ્રતીતિ થાય છે જેની બે નિષ્પત્તિ ગણી શકાય. એક છે આપણું અસ્તિત્વ અને બીજું છે આપણું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એક ઉપાધિ જેવું છે જેનાથી માણસ ઓળખાય છે પણ માણસની એ સાચી ઓળખ નથી. ઉપાધિ એક દીવાલ છે. એનાથી વ્યક્તિની સીમા બંધાઈ જાય છે, જ્યારે અસ્તિત્વને સીમા નથી. તે અસીમ છે. અસ્તિત્વને ભાષામાં બાંધી શકાતું નથી. અસ્તિત્વ અનંત શક્તિશાળી છે જ્યારે વ્યક્તિત્વ શક્તિની એક ધારા જેવું છે. અસ્તિત્વ સાગર છે, વ્યક્તિત્વ તો તેના એક બિંદુ જેવું છે. આપણે વ્યક્તિત્વના પાંજરામાં પુરાયેલા પંખી જેવા છીએ. એક વખત આ પાંજરું તૂટી જાય, આ દીવાલ તૂટી જાય તો પછી અસ્તિત્વના સાક્ષાત્કારનો માર્ગ મોકળો થઈ જાય. પણ વ્યક્તિત્વનો મોહ અસ્તિત્વની પ્રતીતિ થવા દેતો નથી. અસ્તિત્વનો આવિર્ભાવ કરવા માટે આ મોહની દીવાલ તોડવી રહી. જે વ્યક્તિત્વ ક્ષણભંગુર છે તેની પળોજણ આપણે જીવનભર કરતા રહીએ છીએ અને પરિણામે આપણે અસ્તિત્વથી વેગળા ને વેગળા રહી જઈએ છીએ. અસ્તિત્વને પામવા માટે, તેનો સાક્ષાત્કાર કરવા માટે વ્યક્તિત્વની દીવાલ તોડવી રહી. જ્યારે મન શાંત થઈ જાય છે ત્યારે અસ્તિત્વ પ્રગટ થવા માંડે છે. મન સક્રિય હોય છે ત્યારે અસ્તિત્વની ઝાંખી પણ થઈ શકતી નથી. અસ્તિત્વની ઊંચાઈએ પહોંચવા માટે મનને સુવાડી દેવું પડે છે. મન અને અસ્તિત્વ સાથે નથી રહી શકતાં. બન્નેનો નિર્વાહ સાથે થઈ શકતો નથી. સાધનાનો માર્ગ મનને શાન્ત કરી વિકલ્પરહિત કરીને અસ્તિત્વને જગાડવાનો માર્ગ છે. આ સાધનામાં પ્રાણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણની ધારા બહિર્મુખી થઈ શત શત માર્ગે બહારની તરફ વહેતી પ્રાણશક્તિ - - ૩૩ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy