SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો રસ્તો છે ત્રિબંધનો. એમાં ઊડ્ડીયાન, જાલંધર અને મૂલબંધ એમ ત્રણ બંધ સાધવામાં આવે છે. આ ત્રણ બંધ સધાતાં પણ પ્રાણધારા મધ્યમ માર્ગે પ્રવાહિત થવા લાગે છે. ત્રીજો રસ્તો આ બન્નેથી વધારે સરળ છે. આ માર્ગ છે દીર્ઘ શ્વાસનો. આ પ્રયોગમાં એક દીર્ઘ શ્વાસ લઈને તેનું રેચન કરી, તેને બહાર કાઢી તત્કાળ બીજો દીર્ઘ શ્વાસ લેવાનો હોય છે. પહેલો શ્વાસ પૂરો થતાંની સાથે જ તેની સાથે બીજો શ્વાસ સંલગ્ન થઈ જાય વચ્ચે વિરામ નહિ લેવાનો.એક દીર્ઘ શ્વાસના અંત સાથે બીજા દીર્ઘ શ્વાસનો પ્રારંભ થાય. આમ, શ્વાસનું એક વર્તુળ રચાય. આમ, દીર્ઘ શ્વાસની પરંપરાથી પણ પ્રાણની ધારા સુષુમ્નાને માર્ગે વહેવા માંડે છે. જેવી પ્રાણધારા મધ્યમાર્ગી થઈને ઉપરની તરફ વહેવા લાગે છે કે તુરત જ મન શાંત થવા માંડે છે અને ધીમે ધીમે અમનની અવસ્થા સધાતી જાય છે. જે નટખટ મન આપણને હંમેશાં હેરાન કરતું હતું, લાખ ઉપાય કરે પણ હાથમાં આવતું ન હતું તે હવે વિલીન થવા માંડે છે. અરે, પછી તો શોધવું પડે કે મન ક્યાં ખોવાઈ ગયું ? અમનની અવસ્થા પેદા થતાં જ અસ્તિત્વ, જેની ભાળ મળતી ન હતી તે, મુક્ત રીતે પ્રગટ થવા લાગે છે. - જો કે અહીં ઘણાને પ્રશ્ન થશે કે મનને શાંત કરવા માટે, અસ્તિત્વને પ્રગટ કરવા માટે ફક્ત આ જ માર્ગો છે કે પછી બીજે કોઈ રસ્તે આ વાત સિદ્ધ થઈ શકે ? પ્રશ્ન છે મનને અમનની અવસ્થામાં લઈ જવાનો. આ કાર્ય બીજી અનેક રીતે થઈ શકે છે પણ આ માર્ગ શરીરને સાધીને આગળ વધવાનો છે. યોગો તો ઘણાય છે. શ્રુત જ્ઞાનની ઉપાસના પણ આ કાર્ય કરી શકે. જ્ઞાનનો પ્રાદુર્ભાવ થતાં પણ પ્રાણધારા મધ્યમ માર્ગે ઊર્વારોહણ કરે. તત્ત્વચિંતન પણ આ અવસ્થાના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. વૈરાગ્યની તીવ્ર ભાવના થતાં પણ પ્રાણશક્તિ પોતાનો માર્ગ બદલીને સબળ થઈ જઈ શકે છે. માર્ગ ભલે ગમે તે હોય પણ તે લક્ષ્ય સાધનારો હોવો જોઈએ. જેનાથી લક્ષ્ય સધાય એ માર્ગ જેતે સાધક માટે યોગ્ય ગણાય. તેથી તો જ્ઞાનને પણ યોગ કહ્યો છે, ભક્તિને પણ યોગ હ્યો છે અને કર્મયોગ પણ પ્રસ્થાપિત થયેલો છે. પણ આ યોગો પ્રાણશક્તિ પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy