SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઠીક રીતે કામ નહિ કરતું હોય તો આપણી અંદરની ઊર્જાનો પ્રવાહ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગ્રંથિતંત્રનો તો આપણા ઉપર ખૂબ પ્રભાવ પડે છે. આ ગ્રંથિઓમાંથી નીકળતા સ્રાવો આપણા વિચારોને બદલે છે. જીવન તરફના આપણા અભિગમ ઉ૫૨ ગ્રંથિતંત્રની પ્રબળ અસર છે. સાધનાકાળમાં આપણે શરીર પાસેથી ઘણું કામ લેવાનું છે. આપણે આસનસિદ્ધિ કરવાની હોય છે, ગ્રંથિઓના સ્રાવને ઠીક કરવાના હોય છે, નાડીતંત્રને સક્ષમ રાખવાનું હોય છે. જોવાની શક્તિ અવરોધાય તો શાસ્ત્રોનું વાંચન ન થઈ શકે. સાંભળવાની શક્તિ અવરોધાય તો ઉપદેશનું શ્રવણ કેવી રીતે થઈ શકે ? આપણે જે આત્માની વાત કરીએ છીએ તેનો વાસ છેવટે છે તો શરીરમાં જ. આત્માનું ઘર ઠીક ન રાખીએ, આત્મા સુધી પહોંચવાના સાધનની અવગણના કરીએ તો આપણો સાધના માર્ગ વિકટ થઈ જાય અને સાધનાની આપણી યાત્રા વિલંબમાં પડે. શરીર એ સાધના માટેનું ઉત્તમ સાધન છે અને મનુષ્યદેહ આપણને વારંવાર મળતો નથી. કોઈ પુણ્યના પ્રતાપે આ દેહ મળ્યો છે ત્યારે તેની પાસેથી કામ કાઢી લેવામાં શાણપણ છે. પણ એનો એવો અર્થ નથી કે આપણે શરીરની આળ-પંપાળ કરીને બેસી રહીએ. સાધન સાધન તરીકે રહે અને સાધ્ય ન બની જાય એ વાત ખૂબ મહત્ત્વની છે. આમ, શરીર આપણા માટે ભગવાનનું મંદિર છે કારણ કે તેના દ્વારા ચૈતન્યનાં કિરણોની આપણને ઝાંખી થાય છે, જ્ઞાનનો આલોક ખૂલે છે અને અનંત આનંદના આંશિક ભાવની પ્રતીતિ થાય છે. ચૈતન્યને અવરોધનાર સૂક્ષ્મ શરીર-કર્મ શરીર પણ પોતાની અભિવ્યક્તિ આ સ્થૂળ શરીર દ્વારા જ કરે છે. આપણા દુર્વ્યવહારો પણ આ શરીર દ્વારા જ થાય છે. પણ એક વાર એ વાત સ્પષ્ટ થઈ જાય કે શરીર તો માત્ર સાધન છે, અભિવ્યક્તિનું વાહન છે તો પછી આપણે તેના ઉપર દોષારોપણ નહિ કરીએ, તેની નિંદા નહિ કરીએ. આમ તો સ્થૂળ શરીર મરણ પછી પડી જનારું છે, નાશ પામનારું છે. સ્વતંત્ર રીતે તેનું કંઈ આદાન-પ્રદાન નથી પણ ચૈતન્ય અને કર્મ શરીરની હાજરીમાં તે ખૂબ મહત્ત્વનું સ્થાન ભોગવે છે તેથી તેની અવગણના ન થઈ શકે. સાધનામાં તેના સહયોગની બહુ આવશ્યકતા રહે છે. શરીરનો સહયોગ ૧ Jain Educationa International For Personal and Private Use Only - www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy