SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ચેતનાનો જે પ્રવાહ બહિર્મુખી હતો તે હવે અંતર્મુખી થઈને વહેવા લાગે છે. ચેતનાની સુષુપ્તિની અવસ્થામાં જીવને રાગ-દ્વેષની પરિણતિ હોય છે, અહં અને મમનું પ્રભુત્વ હોય છે, સંકલ્પ અને વિકલ્પો હોય છે, ઈર્ષ્યા અને ધૃણાના ભાવો હોય છે. અત્યાર સુધી જેને સુખ અને દુઃખ માનેલાં અને જેને પોતાનું અસ્તિત્વ માનેલું તે બધું હવે જીવને ખોટું લાગે છે. જેવી ચેતના અંતર્મુખી બને છે કે જીવની ભ્રાંતિ તૂટે છે. હવે તેને લાગે છે કે જેને હું મારું માનીને જીવતો હતો તે વાસ્તવમાં મારું નથી. મારું અસલી સ્વરૂપ તો જુદું જ છે. આજ સુધી પારકી વસ્તુને પોતાની ગણી તે ભૂલ હતી. જે મારું મૂળ સ્વરૂપ છે, મારો મૂળ સ્વભાવ છે, તે તો જુદો જ છે. આ જાગૃતિની ક્ષણ છે. અહીં અંતર્મુખતા પ્રગટ થાય છે. - જીવ જેવો મૂર્છાની ચેતનામાંથી બહાર આવે છે અને જાગૃતિની ચેતનાના સ્તર ઉપર આવે છે કે તુરત જ તેની પ્રાણશક્તિની ધારા પોતાનો માર્ગ બદલે છે. શ્વાસ એ મહત્ત્વની પ્રાણધારા છે. સામાન્ય રીતે આપણો શ્વાસ આપણી ડાબી-જમણી નાડીઓમાં વહન કરતો હોય છે. શ્વાસ-પ્રાણ જે ઇડા અને પિંગલામાં વહન કરતો હતો જેથી તેની પ્રાણશક્તિ મોટે ભાગે વિખરાઈ જતી હતી તે હવે એકત્રિત થઈને મધ્ય માર્ગથી એટલે સુષુણ્ણા નાડી દ્વારા ઉપરની તરફ વહેવા લાગે છે. સુષુણ્ણાનું મૂળ ખૂલી જતાં પ્રાણધારાનો ઉપર તરફનો માર્ગ સરળ થઈ જાય છે. આ પ્રવાહ બદલાતાં મન શાંત થઈ જાય છે. ઇન્દ્રિયોની ચંચળતા, મનની ચંચળતા સમાપ્ત થઈ જાય છે. બસ અહીંથી અધ્યાત્મની યાત્રા શરૂ થઈ જાય છે. જે વ્યક્તિ અત્યાર સુધી શરીરને જ સર્વસ્વ માનતી હોય છે તેને હવે લાગે છે કે શરીર તે હું નથી. હું તો ચૈતન્ય છું અને મારી ક્ષમતા વીતરાગ ચેતના પ્રાપ્ત કરવાની છે. ન કદીક કોઈ જીવની વૈરાગ્ય ચેતના કોઈ પ્રબળ નિમિત્ત મળતાં જાગી ઊઠે છે તો પણ તુરત જ તેનો શ્વાસ-પ્રાણ સુષુમ્માના માર્ગ ઉપર તરફ સંચાર કરવા લાગે છે અને તેના મનઃચક્ર ઉપર રહેલા કમળની આઠ પાંખડીઓ વિકસવા લાગે છે. પણ આ પ્રક્રિયા સર્વસામાન્ય નથી. – ૧૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy