SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્વાસ એ પ્રાણશક્તિની મહત્ત્વની ધારા છે તેથી તેને પ્રાણ કહે છે. સામાન્ય રીતે આપણી પ્રાણશક્તિ શરીરના નીચેના ભાગમાં વધારે વહે છે. શરીરની નીચેનો ભાગ અધોલોક કહેવાય છે, વચ્ચેનો ભાગ તીરછાલોક છે અને ઉપરનો ભાગ ઊર્ધ્વલોક છે. આપણી નાભિથી લગભગ બાર આંગળ ઉપર એક સૂક્ષ્મ મનઃચક્ર છે. ત્યાંનું સ્નાયુતંત્ર ચક્રાકારે ગૂંચવાયેલું છે તેથી પ્રાણશક્તિ સરળતાથી ઊર્ધ્વલોકમાં પહોંચતી નથી. આ પ્રાણશક્તિ જ્યારે ઊર્ધ્વગમન કરે છે અને મસ્તકમાં રહેલ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે ત્યારે વીતરાગ ચેતના જાગે છે; પણ તેના ઊર્ધ્વરોહણને રોકનાર ગ્રંથિ મનઃચક્ર પાસે છે. આ મનઃચક્રને યોગની પરિભાષામાં કમળ સાથે સરખાવવામાં આવે છે - જેને આઠ પાંખડીઓ છે. કમળ શબ્દ ખૂબ સૂચક છે. કમળ જ્યારે બિડાયેલું હોય છે ત્યારે આપણી ચેતના સુષુપ્તિ-મૂચ્છના સ્તર ઉપર હોય છે. આ કમળની આઠ પાંખડીઓ જ્યારે ખૂલી જાય છે ત્યારે ચેતનાના ઊધ્વરોહણનો માર્ગ સરળ થઈ જાય છે તેથી આપણે આ કમળની પાંખડીઓ ખોલવા પ્રયાસ કરવો રહે. આગમોમાં એ વાતનું સ્પષ્ટ નિર્દેશન મળે છે કે નાભિની પાસે આઠ રચક પ્રદેશો છે જે કદીય આવૃત થતા નથી. આટલો પ્રદેશ પણ જો જડશક્તિથી આવૃત થઈ જાય તો પછી જડ અને ચેતન વચ્ચે કોઈ ભેદ ન રહે. આ ટુચક પ્રદેશમાં સદાય અનાવૃત રહેલી ચેતનાને જો આપણે બ્રહ્મરંધ્ર તરફ લઈ જઈ શકીએ તો પછી આપણી ચેતનાશક્તિ વૈરાગ્ય ચેતનાના સ્તરે પહોંચી શકે. તેથી તો યોગીઓ આ આઠ પાંખડીવાળા કમળની પાંખડીઓને ખોલવાનો પ્રયાસ કરે છે. આ માટે મનઃચક્ર ઉપર ધ્યાન કરવામાં આવે છે. જેમ જેમ ધ્યાનની ધારા મનઃચક્ર ઉપર સતત વહેતી રહે છે તેમ તેમ આ સૂક્ષ્મ કમળની પાંખડીઓ ખૂલવા લાગે છે. તેને રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કહે છે. આ નિબિડ ગાંઠનો ભેદ થતાં જન્મોજન્મની સુષુપ્ત ચેતના મૂચ્છમાંથી બહાર આવે છે. જાગૃતિની આ પ્રથમ ક્ષણ છે જેને અપૂર્વકરણ કહેવામાં આવે છે, બસ ત્યાર પછી ચેતનાનું ઊર્ધ્વરોહણ શરૂ થાય છે. રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થતાં જીવ અંતર્મુખ થઈ જાય છે. અત્યાર ચેતનાનું જાગરણ – ૧૩ – * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy