SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચી શકતી નથી કારણ કે તેના માર્ગની આડે ઉપાધિઓ આવે છે. જેવા આપણે જાણીએ છીએ કે તુરત જ આપણી ઉપાધિઓ ખસવા માંડે છે, આપણાં પરિણામો શુદ્ધ થવા લાગે છે અને આપણી યાત્રા સરળ થઈ જાય છે. મનુષ્યજીવનનું કોઈ પ્રાપ્તવ્ય હોય તો તે સુષુપ્તિની ચેતનાનું વીતરાગ ચેતનામાં પરિવર્તન કરવાનું. મનુષ્ય જીવનમાં જ આ શકય છે. ભલે આપણે ચેતનાને સમગ્રતયા ન બદલી શકીએ પણ ચેતનાનું જાગરણ કરીને આપણી યાત્રા તો શરૂ કરી શકીએ. ચેતનાની ભિન્ન અવસ્થાઓ જાણી લીધા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? તેની શરૂઆત કેવી રીતે થઈ શકે ? આ બાબત ઘણી ગંભીર છે અને ઊંડું ચિંતન માગી લે તેવી છે. સંસારમાં જેટલી શક્તિઓ છે તેની અભિવ્યક્તિ કોઈપણ દ્રવ્ય દ્વારા થાય છે - પદાર્થ દ્વારા થાય છે. જૈન પરિભાષામાં પદાર્થ માટે પુદ્ગલ શબ્દ પ્રયોજાય છે. પુદ્ગલ દ્રવ્યના સહયોગ વિના શક્તિની કોઈ અભિવ્યક્તિ થઈ શકતી નથી. આપણો દેહ એ પુદ્ગલ છે અને તેના દ્વારા આપણી ચૈતન્ય શક્તિની અભિવ્યક્તિ થાય છે. દેહની અવગણના કરીને ચૈતન્ય શક્તિની પ્રતીતિ લગભગ અશકય છે. તેથી શરીરને શરીરના તંત્રને જાણ્યા વિના ચૈતન્યની ખોજ કરવાનું અસંભવ છે. ભગવાન મહાવીરે તેથી વિધાન કર્યું છે : "જે દેહને પૂર્ણ રીતે જાણે છે તે ચૈતન્યને સમજી શકે છે. જે ચૈતન્યને જાણે છે તે દેહને જાણે છે.” ચૈતન્ય શક્તિ અને પુગલની તાકાત પરસ્પર સંલગ્ન છે. ગમે તે એકને સાધવાથી અન્ય સધાય છે. જાગૃતિના પ્રથમ ચરણમાં આ બન્નેની શક્તિનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. તેને ભેદજ્ઞાન કહે છે. ચેતના જ્યારે જાગે છે ત્યારે તેને સૌ પ્રથમ આ ભેદજ્ઞાન થાય છે. આ ભેદજ્ઞાન થવા માટે શરીરના તંત્રનું જ્ઞાન પણ આવશ્યક છે - ઉપકારક છે. આપણા શરીરમાં જે ચૈતન્યશક્તિ ધબકી રહી છે તેને પ્રાણશક્તિ કહે છે. આ પ્રાણશક્તિ દસ ધારાઓ દ્વારા આપણા શરીરમાં વહી રહી – ૧૨ – – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy