SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકને મળવાનું મન થયું. ગવર્નર આ ઝેન સાધક કચુના આશ્રમમાં પહોંચી ગયો. કંચુ પોતાની ક્રિયામાં નિમગ્ન હતા. બહાર ઊભા રહેલા કંચના અનુયાયીએ ગવર્નરને અંદર જવા દીધા નહિ તેથી ગવર્નર ઘણા નારાજ થયા. છેવટે તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ અનુયાયીને આપી કહ્યું, - "તમે અંદર જઈને આ કાર્ડ આપો. કૈચ તુરત જ મને અંદર લઈ આવવાની આજ્ઞા કરશે.” અનુયાયી કાર્ડ લઈને અંદર ગયો એવો જ પાછો ફર્યો અને તેણે કહ્યું, ગુરુજી કહે છે કે તે આવા કોઈ માણસને ઓળખતા નથી અને તમને મળવાની તેમને કોઈ ઇચ્છા નથી.” ગવર્નરના વિઝિટિંગ કાર્ડ ઉપર લખેલું હતું, "કિટેગામી ગવર્નર ક્યોટો.” પહેલાં તો ગવર્નર એકદમ ગુસ્સે થઈ ગયા. પછી કંઈ વિચાર આવતાં તેમણે પોતાનું કાર્ડ હાથમાં લઈને તેના ઉપરથી “ગવર્નર કયોટો” એ શબ્દો ઉપર ચેકો મૂક્યો અને કહ્યું, "ફરીથી અંદર જઈને આ કાર્ડ બતાવી આવો. હવે પણ તેઓ ના પાડશે તો હું ચાલ્યો જઈશ." થોડીક વારમાં ઝેન સાધક કચુનો અનુયાયી બહાર આવ્યો અને તેણે દ્વાર ખોલી કિટેગામીને અંદર જવા ઈશારો કર્યો. ગવર્નરે પૂછયું, - "હવે સંતે મને અંદર આવવાની આજ્ઞા આપી તેનું કારણ તમે મને કહી શકશો ?” ઝેન સંતનો અનુયાયી બોલ્યો, "ગુરુજીએ એમ કહ્યું કે કિટેગામીને મળવામાં મને વાંધો નથી. મારે તેમનો પરિચય થઈ શકશે. અમે પરસ્પરને ઓળખી શકીશું. તેમને શીઘ અંદર લઈ આવો.” સુષુપ્તિની-મૂચ્છની ચેતના પણ જાગૃતિની ચેતના બનીને વીતરાગ ચેતના સુધી પહોંચી શકે છે પણ ઉપાધિઓ વચ્ચે આવી જાય છે. જ્યાં સુધી આપણી ચેતના વિભાવોમાં રાચે છે ત્યાં સુધી આ યાત્રા શરૂ થઈ શકતી નથી. વાસ્તવિકતામાં એ આપણી જ ચેતના છે પણ તે ઉચ્ચ સ્તરે ચેતનાનું જાગરણ ૧૧ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy