SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી સાધના તો મૂચ્છની ગ્રંથિ તોડીને જાગૃતિની ચેતનાના સ્તર ઉપર પહોંચવામાં જ છે. આમ, ચેતનાની ત્રણ પ્રકારની યાત્રા છે- મૂચ્છની યાત્રા, જાગૃતિની યાત્રા અને વીતરાગતાની યાત્રા. વીતરાગતા જાગરણનું ચરમબિંદુ છે. તે જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે અને તે માટે જાગૃતિની ચેતના મહત્ત્વનું પદાર્પણ છે. ચેતનાની જાગૃતિને જ સમ્યકત્વ કહે છે. સમ્યકત્વ છેવટે શું છે ? એ આત્માની નિર્મળતાની અવસ્થા છે. આત્મામાંથી જેટલા કષાય સમાપ્ત થયાં, જેટલી તીવ્ર આસક્તિ સમાપ્ત થઈ એટલી આત્માની નિર્મળતા સધાઈ. વીતરાગ ચેતના આત્માની નિર્મળતાની પૂર્ણ અવસ્થા છે. જૈનાચાર્યોએ હજારો વર્ષ પહેલાં સમ્યકત્વની વ્યાખ્યા કરવા માટે બે પ્રકારની પરિભાષાનો ઉપયોગ કર્યો. એકને નિશ્ચય સમ્યકત્વ કહ્યું; બીજાને વ્યવહાર સભ્યત્વ કહ્યું. આત્માનો બોધ થવો એ નિશ્ચય સમ્યકત્વ અને આત્માનો બોધ થાય એ માટે જે તત્ત્વોનો બોધ થાય તે વ્યવહારથી સમ્યકત્વ. ભગવાન મહાવીરે જાગરિકાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે : એક સુપ્ત જાગરિકા, બીજી બુદ્ધ જાગરિકા, ત્રીજી પ્રબુદ્ધ જાગરિકા. ઉપનિષદોમાં આ વાતને મળતી ત્રણ અવસ્થાઓનું વર્ણન છે. સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિની અવસ્થા, જાગૃતિની અવસ્થા અને સુર્યાવસ્થા. આમ, જાગરિકાનું મહત્ત્વ યોગમાર્ગમાં ઘણું છે. જાગરિકા પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ નથી, એક જ પ્રક્રિયા નથી. લક્ષ્ય છે પ્રબુદ્ધ જાગરિકાનું - વીતરાગ ચેતનાનું. એકવાર જાગરિકા શરૂ થાય તો પછી છેવટે લક્ષ્ય થઈને જ રહે. ચેતનાનું જાગરણ ૧૫ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy