SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ અને કલ્પનાથી પણ મુક્ત રહેવું જોઈએ. તેની દૃષ્ટિ સત્ય ઉપર સ્થિર રહેવી જોઈએ. આ પણ એક પ્રકારની જ્ઞાનસમાધિ છે. આ ક્ષેત્રમાં આલ્બર્ટ આઈન્સ્ટીનનું જીવન, તેમની નિષ્ઠા ઉદાહરણીય છે. સંશોધન દરમ્યાન તેમની સમક્ષ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ઈલેકટ્રોનનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તે સ્થિર છે કે ગતિશીલ છે ? તેઓ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે ઈલેકટ્રોન સ્થિર છે (કટ્રો છે) અને તરંગ પણ છે. તેમાં સ્થિતિ અને ગતિ બને છે. પહેલાંના વિજ્ઞાનીઓને આ વાત માન્ય ન હતી. આઇન્સ્ટીને હિંમતથી એ વાતનું સમર્થન કર્યું કે ઈલેકટ્રોનમાં ગતિ અને સ્થિતિ બને છે. આમ, આ બન્ને ગુણધર્મો પરસ્પર વિરોધી છે છતાંય તેને સ્થાપિત કરતાં આઇન્સ્ટીન ગભરાયા નહિ કારણ કે તે સત્યના શોધક હતા. તેમણે કહ્યું અગાઉના વિજ્ઞાનીઓને જે લાગ્યું તે તેમણે કહ્યું. મને લાગે છે તેનું હું પ્રતિપાદન કરું છું. પરસ્પર વિરોધી ગુણધર્મો ઇલેકટ્રોનમાં કેવી રીતે ઘટિત થાય તે મને ખબર નથી પણ બને ગુણો ઇલેકટ્રોનમાં અભિવ્યક્ત થાય છે એ વાત તો મારે કબૂલ કરવી પડશે. આ બન્ને ગુણધર્મોને સમાવી લેવા માટે તેમણે “કુવારા' શબ્દ પસંદ કર્યો; એટલે કે જ્યાં ગતિ અને સ્થિતિ બને બની રહે છે. આઈન્સ્ટીન સમક્ષ સત્ય જે સ્વરૂપે પ્રગટ થયું તે તેમણે સ્વીકાર્યું. આમ, સત્યને માટે જે સમર્પિત હોય તે જ્ઞાનયોગી છે. તેમના મનમાં પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી. ભૂતકાળમાં શું માન્યતા હતી અને ભવિષ્યમાં શું માન્યતા થશે તેની ઝંઝટમાં પડ્યા વિના તેમને જે સત્ય લાગે છે તેનો તે સ્વીકાર કરે છે. અરે ભવિષ્યમાં તેમને પોતાના કથન વિષે કંઈ જુદું જાણવા મળે તો તે સ્વીકારતાં તે અચકાતા નથી. સત્યને ઉદ્ઘાટિત કરવા માટે નિષ્ઠા જોઈએ અને હિંમત જોઈએ. લોકો હવે શું કહેશે એવા વિકલ્પોથી તે નબળા પડતા નથી. તે મોટો બચાવ કરતા નથી. જે સમયે તેમને જે સત્ય લાગ્યું તેનો તે સ્વીકાર કરી લે છે અને જગત સમક્ષ રજૂ કરે છે. એનો અર્થ એ નથી કે તેઓ અસ્થિર છે. તેઓ સત્ય પ્રતિ સમર્પિત છે. જે સત્ય પ્રતિ સમર્પિત છે તે કયારેય એમ ન કહી શકે આ જ સત્ય છે. સત્ય અનેક સ્વરૂપે રજૂ થાય છે. સત્યના કોટિ વનસમાધિ ૧૪૯ –– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy