SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કોટિ પર્યાયો છે. સ્થળ અને કાળ બદલાતાં નવાં નવાં તથ્યોનો આવિષ્કાર થતો જાય છે તેથી અગાઉનાં મોટાં હતાં તેમ ન કહી શકાય. ભવિષ્યમાં આ જ તથ્થો રહેશે એમ પણ ન કહી શકાય. જે સ્થળ અને કાળની સાપેક્ષતાનો સ્વીકાર કર્યા વિના આજે ઉદ્દઘાટિત થનાર તથ્યને શાશ્વત ગણી લે તો તેમાં કયાંય દોષ રહી જાય. રખે એનો એવો અર્થ કાઢીએ સત્ય બદલાય છે. સત્ય એટલું વિશાળ છે કે એનાં સર્વ તથ્યો આપણી સમક્ષ રજૂ થતાં નથી અને તેને આપણે જાણી શકતા નથી. તેથી સત્યનો શોધક ખુલ્લી દષ્ટિ રાખી સત્યપ્રાપ્તિ માટેની પોતાની યાત્રા ચાલુ જ રાખે છે અને તેથી તે સત્યની વધારે ને વધારે નજીક પહોંચતો જાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે જ્ઞાનયોગી “અણિસિચોવસિય’ હોય છે. એટલે તે કોઈ તરફ નમેલો નથી હોતો. તેનો ઝોક ફક્ત સત્ય પ્રતિ જ હોય છે. તે નથી સિદ્ધાંતને નમતો, કે નથી કોઈ શાસ્ત્ર પ્રતિ ઝૂકતો. કોઈના વચનથી પણ તે બંધાઈ જતો નથી - રોકાઈ જતો નથી. જેનામાં આટલી સાધનાશીલતા હોય તે જ જ્ઞાનયોગી બની શકે છે. આ મોટી સાધના છે. રાગ-દ્વેષથી મુક્ત થવાની આ સાધના છે, તટસ્થતાની સાધના છે, સંયમની સાધના છે. સત્યની શોધ અને સત્યની જિજ્ઞાસા એ જ એનું ધ્યેય હોય છે. આ સાધના એની ચરમસીમા ઉપર પહોંચે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે અને ત્યારે જ સત્યના સઘળા પર્યાયો તેની સમક્ષ ઉદ્ઘાટિત થઈ જાય છે. મોટા પંડિતો પણ શાસ્ત્રો માટે પક્ષપાત રાખતાં સત્યથી વિમુખ થઈ ગયા છે. ધર્મપુરુષો પણ પોતપોતાના ધર્મનાં પુસ્તકોને સમર્પિત થઈ જાય છે અને એમનો તે પક્ષપાત સત્યપ્રાપ્તિની આડે આવે છે. સમર્પિત થવાનું છે સત્યને. સત્યની શોધ માટે ગમે ત્યાંથી જ્ઞાન મેળવી શકાય. ગમે ત્યાંથી અનુભવ લેવાય. સત્ય પ્રતિ સમર્પિત ન હોવાને કારણે જ ધર્મો સાંપ્રદાયિકતામાં સરી પડે છે અને પરિણામે તે સંઘર્ષનાં કેન્દ્રો બની જાય છે. સત્યશોધક માટે એ બહુ મહત્ત્વનું નથી રહેતું કે તે કયા ગ્રંથમાં લખ્યું છે પણ તેને મન એ વાત મહત્ત્વની છે કે તેણે માનેલું તથ્ય, સત્યની કસોટી પર ચડીને પાર ઊતરી શકે છે ! જ્ઞાનસમાધિ એટલે જ સત્વગ્રાહી દષ્ટિ. – ૧૫૦. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy