SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આંતર્મુખી બની જાય છે. જે મન બહાર ભટકતું હતું તે હવે અંદરની તરફ વળે છે તેથી તેને પ્રતિસંલીનતા પણ કહે છે. ઇન્દ્રિયોના વિષયોમાં ભટકનાર મન પોતાનામાં જ લીન થવા લાગે છે. જ્ઞાનની ધારા જ્ઞાન કેન્દ્રમાં સ્થિર થઈ જાય છે. પણ એ વાત ન ભુલાવી જોઈએ કે જ્ઞાનસમાધિના ક્રમમાં સૌથી પહેલાં જ્ઞાન છે પછી ભલે તે શ્રવણથી મળે કે વાંચનથી મળે. જ્ઞાનસમાધિમાં નિષેધ જ્ઞાનનો નથી; પણ નિષેધ છે સંવેદનનો. જ્ઞાન ભટકાવતું નથી; સંવેદન માણસને ભટકાવે છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટે કે બહારથી ગ્રહણ થાય પણ જ્યાં સુધી તે કોરું જ્ઞાન બની રહે છે ત્યાં સુધી કોઈ ખતરો નથી. જ્ઞાન તો ગંગા જેવું છે. ગંદકી છે સંવેદનની. ગંગામાં ગંદકીનો પ્રવાહ ભળે એમાં દોષ ગંગાનો નહિ પણ ગંદી નાળીનો. આમ જોઈએ તો જ્ઞાનસમાધિ વાસ્તવમાં ઉચ્ચ કોટિની સમાધિ છે. સૌથી વધારે નિરપવાદ અને નિર્વિબ સમાધિ હોય તો તે જ્ઞાનસમાધિ છે. પણ જ્ઞાનસમાધિ જેટલી નિર્વિઘ્ન છે એટલી જ મુશ્કેલ છે. એમાં ભયસ્થાન બહાર નથી પણ અંદર છે જ્યાં સાધકને પોતાની જાગરૂકતા જ બચાવી શકે છે. રાગ-દ્વેષની ધારા જ્ઞાન સાથે ન જોડવાની વાત ખૂબ કઠિન છે. એ માટે સાધકે દષ્ટાભાવ કેળવવો પડે છે. વેદાન્તની ભાષામાં તેને દેશભાવ કહે છે. સાક્ષીભાવ, તટસ્થભાવ, જ્ઞાનસમાધિ, આ બધા શબ્દો એક જ વસ્તુના સૂચક છે. જૈન પરિભાષા વાપરીએ તો તે છે શુદ્ધ ઉપયોગની અવસ્થા જ્યાં ચેતનાનો ઉપયોગ બિલકુલ શુદ્ધ રહે છે. એમાં કોઈ અશુદ્ધતા ભળતી નથી. અરે, પાપ-પુણ્યનો ભાવ પણ એમાં ભળી શકતો નથી. આ સંવરની સ્થિતિ છે. આ અભ્યાસ સતત ચાલુ રહે તો સમાધિ પ્રાપ્ત થઈ જાય છે. સાહિત્યમાં સંવેદનશીલતા ગુણ મનાય છે. સાધનામાં સંવેદનથી બચવાનું છે. સંવેદનમાં સત્યની ઝાંખી કરવાનું મુશ્કેલ બની જાય છે. સત્યનો શોધક તટસ્થ રહે. સંયમ તેનું બળ છે. - વિજ્ઞાનીઓ સત્યની શોધ કરે છે. તથ્યોનો ઉધાડ કરે છે તે માટે તેમણે પણ તટસ્થતા કેળવવી રહી. જે વિજ્ઞાની તટસ્થતા કેળવી શકે છે તે જ સત્યની વધારે નજીક પહોંચે છે. તેણે પૂર્વગ્રહથી મુક્ત રહેવું –- ૧૪૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy