SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (એકવીસ) હ હ / જ્ઞાનસમાધિ હિ ? વિ ા હહિ હ હ જ્ઞાનસમાધિ સૌથી વધારે સરળ છે અને સૌથી વધારે દુષ્કર પણ છે. સરળ એટલા માટે કે એમાં કંઈ કરવાનું રહેતું નથી. પણ તેથી જ એ વધારે ભ્રામક અને ભયભરેલી છે. જ્ઞાનસમાધિના ભ્રમમાં રહીને માણસ ભટકી જાય છે અને બહારથી તો એને સંભાળનાર કોઈ હોતું નથી. ક્રિયા કરનારને તો કોઈ ટોકી શકે કે સુધારી શકે તેથી તે ખોટે માર્ગે ઝાઝો આગળ વધતાં બચી જાય. જ્ઞાનસમાધિવાળો પોતે આત્મવંચના કરે અને બહારથી તો તેના વિષે કંઈ નક્કી થઈ શકે નહિ તેથી જો તેનું પતન થયું તો તેને રોકનાર કોઈ નહિ. જ્ઞાનસમાધિમાં કર્મયોગ અને ભક્તિયોગ બને છૂટી જાય છે. જેમાં કંઈ કરવાનું જ ન હોય તે વાત તો બહુ સરળ જ ગણાય. પણ જ્ઞાનસમાધિની પૂર્વ શરત એ છે કે ત્યાં ફક્ત કોરું જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે આપણે ઘટનાને ઘટના તરીકે જોઈ શકતા નથી. ઘટના જેવી ઘટી કે તુરત જ તેની સાથે આપણો ગમો કે અણગમો જોડાઈ જાય છે તેથી તે કોરું જ્ઞાન નથી રહેતું. જો આપણે સૂક્ષ્મ રીતે આપણને તપાસી જોઈશું તો લાગ્યા વિના નહિ રહે કે પ્રત્યેક ઘટનાની સાથે આપણી પ્રિયતા કે અપ્રિયતા જોડાયેલી જ હોય છે. આપણે રાગ-દ્વેષના રંગથી ઘટનાને – પ્રસંગને રંગી નાખીએ છીએ જેથી – ૧૪૬ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy