SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ગયો તો બધી સાધના વિફળ જવાની શક્યતા વધી પડે. આ ખતરાથી બચવા માટે શારીરિક અને માનસિક બન્ને સ્તર ઉપર સાવધાની રાખી કેટલાક પ્રયોગો કરવા જોઈએ. ચેતનાના સ્તરે સાધકે નિરંતર લઘુતાનો અનુભવ કરતા રહેવું. સાધકે હંમેશાં વિચાર્યા કરવું મારી અંદર હવે મેં કંઈ રાખ્યું નથી. હું ખાલી થઈ ગયો છું. આમ કરતાં કરતાં અહં વિલીન થઈ જશે. શારીરિક સ્તરે અહંને નષ્ટ કરવા માટે, કષાયોને નરમ કરવા પડશે. તે માટે શ્વાસની મંદતાનો પ્રયોગ ખૂબ સહાયક નીવડે છે. આપણો કોઈ પણ આવેશ પહેલો શ્વાસ ઉપર ઊતરે છે. આવેશ આવતાં શ્વાસની માત્રા વધીને મિનિટના ૨૦-૨૫ની થઈ જાય છે. પણ જો આપણે શ્વાસને મંદ અને ઊંડો કરતા રહીશું તો શ્વાસની સંખ્યા સાત-આઠ ઉપર સરળતાથી લાવી શકીશું. સાધના વધતાં ચાર ઉપર પણ આવી શકાશે. અભ્યાસથી આ કાર્ય સાધવાનું છે. એમાં બળનો પ્રયોગ કરવાનો નથી. આવેગો ઘટતાં અહંકાર નરમ પડી જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધી વૃત્તિઓ નરમ પડી જાય પછી અહંને પોષણ મળતું નથી. તે સ્વયં ઢીલો પડવા માંડે છે. આમ, વિનયનું અંતઃસ્વરૂપ સમાધિ સમકક્ષ છે. વિનયનું બાહ્ય સ્વરૂપ વ્યવહારમાં દેખાય છે. જો અંતરથી વિનય સધાયો ન હોય તો બાહ્યાચાર દંભથી વિશેષ કંઈ નથી અને તેમાં સાધનાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે અંદરથી વ્યક્તિ ખાલી થઈ જાય, અહં ઓગળી જાય ત્યાર પછી વિનયની જે નિષ્પત્તિ થાય છે તે સાધનાના ઘરની છે અને તે તો સમાધિ સુધી દોરી જાય છે. વિનયસમાધિ ૧૫ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy