SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાણા સંગ્રહને ખાલી કરવાનો હોય છે. તેથી તો નિર્જરા માટે ઘણીવાર ‘વિધુનનમ્” શબ્દ વપરાય છે. જેમ પંખી પાંખો ફફડાવીને તેના ઉપર લાગેલી ધૂળ ખંખેરી કાઢે છે તેમ જીવ અનુકૂળ પ્રકંપનો પેદા કરી કર્મની રજને ખંખેરી કાઢે છે, જ્યારે સામાયિક સંવરની પ્રક્રિયા છે. એમાં પ્રકંપનોને રોકવાનાં હોય છે. શાંત કરવાનાં હોય છે. મન જેવું સમભાવમાં આવી જાય કે પ્રકંપન બંધ થઈ જાય છે. પ્રકંપન પેદા થતાં અટકી જાય છે. સામાયિક સમાધિ પ્રકંપનો રોકવાની પ્રક્રિયા છે. સામાયિક સધાતાં બહારની કોઈ પણ પરિસ્થિતિ મનને વિષુબ્ધ કરી શકતી નથી. સામાયિક માટે ત્રણ વાતો જરૂરી છે : એક છે મનની શિથિલતામનને વિકલ્પોથી ખાલી કરવાનું. બીજી વાત છે શરીરની શિથિલતાનીશરીરને તનાવોથી મુક્ત કરવાની. ત્રીજી વાત છે પ્રકંપનોના અગ્રહણની. શરીરની ચંચળતા પ્રકંપનોનું મૂળ કારણ છે. આમ જોઈએ તો મન-વચન અને કાયાના ત્રણ યોગ ગણાય છે, પણ તે તો સમજવાની કે સાધનાની સરળતા માટે. વાસ્તવિકતામાં કાયયોગ જ મહત્ત્વનો છે. બીજા બે મનોયોગ અને વચનયોગ એ બંને કાયયોગની અંતર્ગત આવી જાય છે. કાયાના યોગ વિના બીજા બે યોગોનું અસ્તિત્વ ન રહી શકે. પ્રવૃત્તિ માત્રમાં ત્રણ વાત અંતર્ગત રહેલી છે. કંઈ લેવાનું, તેનું પરિણમન કરવાનું અને પછી વિસર્જન કરવાનું. આ ત્રણે કાર્ય આપણે શરીર દ્વારા જ કરીએ છીએ. કાયા દ્વારા આપણે મનને યોગ્ય પરમાણુઓ ગ્રહણ કરીએ છીએ. તેનું મન સ્વરૂપે પરિણમન કરીએ છીએ અને પછી તેને છોડી દઈએ છીએ. આ જ પ્રક્રિયા વચનયોગમાં પણ થાય છે. શરીર મૂળભૂત વસ્તુ છે. શરીરની ચંચળતા ન રહે તો બધું ઠીક થઈ જાય. તેથી સામાયિક સમાધિમાં શરીરની સ્થિરતા ખૂબ મહત્ત્વની છે. શરીર જેટલું સ્થિર અને શાંત હશે એટલી સામાયિક સમાધિ વધારે સધાશે. શરીર ચંચળ હશે તો કાંઈ જ નહીં સધાય. સામાયિકમાં શરીર સ્થિર અને મન ખાલી હોવું જોઈએ. આ બંને પછીનું પગલું છે પ્રકંપનોના અગ્રહણનું. આ ત્રણેય સધાય એટલે સામાયિક સમાધિની નિષ્પત્તિ થાય. - સમતાની પ્રાપ્તિ જાણકારીથી થતી નથી. તે માટે ક્રિયા કરવી પડે, જેમ જેમ મહાવરો વધતો જાય તેમ તેમ સમતા સધાતી જાય. કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે આચાર્યોએ ત્રણ ઉપાયો બતાવ્યા છે - ક્રિયા, મંત્ર – ૧૩૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy