SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પકડી લેશે. મન જ્યારે નિર્વિકલ્પ હશે ત્યારે તે સામાયિક સમાધિ પ્રાપ્ત કરી શકશે. જો આપણે મનનું નિરીક્ષણ કરીશું તો લાગશે કે વિકલ્પ અને અશાંતિ સાથે સાથે ઉત્પન્ન થાય છે. વિકલ્પો વધતાં અશાંતિ વધશે. વિકલ્પો ઘટતાં અશાંતિ ઓછી થશે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો વિકલ્પોને મિટાવવા પડશે. મનને વિકલ્પ રહિત કરવા માટે, મનને ખાલી કરવા માટે આપણે મનને પણ સમજવું પડશે. સુખ અને દુઃખ, રાગ-દ્વેષ ઇત્યાદિ વાસ્તવમાં શું છે? સુખ અને દુઃખ મૂળમાં તો એક પ્રકારનાં પ્રકંપનો છે – જે મન પકડે છે. કોઈ વસ્તુની ક્ષમતા નથી કે તે પોતાની મેળે આપણને સુખ કે દુઃખ આપી શકે. પણ વસ્તુનો સ્પર્શ થતાં, વિચાર આવતાં આપણામાં પ્રકંપન થાય છે જે સુખ-દુઃખ ઈત્યાદિની અનુભૂતિ કરાવે છે. વસ્તુમાત્ર પ્રકંપન પેદા કરે છે અને તેની સાથે આપણું ધ્યાન જોડાય છે. આ બંનેનો યોગ થાય છે ત્યારે જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. જો કોઈ રીતે આ બન્નેનો યોગ ન થવા દઈએ તો સુખ કે દુઃખની આપણને લાગણી ન થાય. પ્રકંપન થવા માટે વસ્તુનું અસ્તિત્વ જરૂરી જ હોય તેમ નથી. કલ્પનાથી-વિચારથી પણ પ્રકંપન પેદા થઈ શકે છે. હાલ તો વિજ્ઞાન યાંત્રિક પદ્ધતિથી પ્રકંપનો પેદા કરે છે અને પ્રાણીઓ ઉપર તેના પ્રયોગો કરી સુખ-દુઃખની માત્રા માપે છે. ઘણીવાર તો પ્રસંગ કરતાં પ્રસંગની-ઘટનાની કલ્પના પણ વધારે પ્રકંપનો પેદા કરે છે જે સુખ-દુઃખની અનુભૂતિ કરાવે છે. તેથી તો માણસ અતીતનાં સ્મરણો કે ભાવિની કલ્પનામાં રાચે છે. જો વર્તમાનમાં એવાં પ્રકંપનો પેદા કરવાની તાકાત ન હોય તો માણસ સ્મૃતિ અને કલ્પનાને સહારે પણ સુખનાં પ્રકંપનો અજાણતાં પેદા કરી લે છે અને માણે છે. આમ જોઈએ તો આપણું સમસ્ત જીવન પ્રકંપનોનું જીવન છે. મુખ્ય વાત છે પ્રકંપન પેદા થવાની અને એની સાથે આપણું ધ્યાન જોડાવાની. સામાયિકનો અર્થ છે પ્રકંપનો સમાપ્ત કરવાનો. પ્રકંપનોને બંધ કરી દેવાં, ઉત્પન્ન ન થવા દેવાં એ જ સમભાવ છે - એ જ સંવર છે. સાધનામાં સંવર અને નિર્જરા બે મહત્ત્વનાં અંગ છે. સંવરમાં પ્રકંપનોને રોકવાનાં છે, જ્યારે નિર્જરા પ્રકંપનની પ્રક્રિયા છે. નિર્જરામાં શક્તિશાળી પ્રકંપનો દ્વારા અનિચ્છનીય પ્રકંપનોના સામાયિક સમાધિ ૧૩૭ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy