SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ M મતે તો જે-જે પ્રવૃત્તિના મૂળમાં ક્રોધ, અભિમાન, માયા, મોહ વગેરે કષાયો હોય તે બધી પ્રવૃતિઓ સાવદ્ય છે - પાપકારી છે. જેમ ત્રાજવાનાં બન્ને પલ્લાં સરખાં હોય – દાંડી ક્યાંય નીચે-ઉપર ન હોય તેમ આપણી પ્રવૃત્તિમાં કાંય વિકૃતિ ન હોય, ક્યાંય રાગ-દ્વેષની પરિણતિ ન હોય ત્યારે સમતા સધાય છે અને ત્યારે જ સામાયિક થયું ગણાય. સામાયિકમાં દરેક પ્રાણી પ્રતિ સમભાવ તો હોય જ પણ પ્રત્યેક પરિસ્થિતિમાં પણ સમતા બની રહેવી જોઈએ. લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ, નિંદા-પ્રશંસા, માન-અપમાન આ બધાં દ્વન્દ્વોથી સામાયિકનો સાધક પર હોય કે એ બધી અવસ્થામાં તે સમ હોય - તેનું મન વિષમતા પ્રાપ્ત કરે નહિ. પ્રશ્ન થાય કે શું આવી વિષમ પરિસ્થિતિમાં સમતા રહી શકે ખરી ? કે પછી આવા સમભાવની વાતો માત્ર આદર્શની જ વાતો છે ? સ્વાભાવિક છે કે સુખ મળતાં અંતર આનંદથી ઊભરાઈ જાય અને તેનું પ્રતિબિંબ મુખ ઉપર અછતું ન રહે. એ જ રીતે દુ:ખના સંજોગોમાં મુખની આભા ઝંખવાઈ જાય, આંખોના ભાવ ફરી જાય. ભિન્ન-ભિન્ન સંજોગોના મનુષ્યના મન ઉપર પ્રભાવ અવશ્ય પડે છે અને તેની અસર શરીર ઉ૫ર વર્તાયા વિના રહેતી નથી. ભગવાન મહાવીર અનેક અનુકૂળ અને ભયંકર પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રહ્યા હતા અને તેમની ક્ષમતામાં કયાંય વિક્ષેપ પડ્યો ન હતો તેનું કારણ તેમની વિકલ્પ ચેતના નષ્ટ થઈ ગઈ હતી. સુખ-દુ:ખ, અનુકૂળ-પ્રતિકૂળ ઇત્યાદિ દ્વન્દ્વોની ઉપસ્થિતિની આપણા તન-મન ઉપર અસર પાડનાર વિકલ્પ ચેતના છે. જેણે વિલ્પ ચેતના સમાપ્ત કરી નાખી હોય, તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, તે ગમે તેવા બાહ્ય સંજોગો વચ્ચે સ્થિર રહી શકે છે. બહારની પરિસ્થિતિને પકડનાર વિકલ્પ ચેતના છે. ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગો આવ્યા ત્યારે તે નિર્વિકલ્પ અવસ્થામાં જ હતા તેથી બહાર જે ઘટનાઓ ઘટિત થતી તેની તેમની અંદર કોઈ અસર પડતી ન હતી. સમતા અને નિર્વિલ્પ અવસ્થા એ બંને પરસ્પર જોડાયેલી છે. જ્યાં સુધી મન વિક્લ્પ રહિત ન થાય, મન ખાલી ન થઈ જાય ત્યાં સુધી સમતાની સ્થિતિ ઘટિત થશે નહિ. જ્યાં સુધી વિકલ્પ ચેતના હશે ત્યાં સુધી તે રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વોને ૧૩૬ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy