SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન આત્માને પરમાત્માના રૂપમાં બદલી નાખે છે. સાધનાની આ ચતુરંગી પ્રક્રિયા આત્માનું પરમાત્મામાં પરિણમન કરે છે - જેને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. બસ, અહીં બીજમાંથી વટવૃક્ષ બની ગયું. ભગવાન મહાવીરનો ક્રિયમાણકૃતનો સિદ્ધાંત આ જ વાત સમજાવે છે. આપણે જેવા પરમાત્માની સ્થાપના કરી ધ્યાનની શરૂઆત કરી તેવી જ આપણી પરમાત્મા બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તેથી એમ કહી શકાય કે જે પરમાત્માના રૂપમાં દત્તચિત્ત હોય છે તે પરમાત્મા છે. જેનું બધું જ્ઞાન પરમાત્મામય છે; જેની બધી ચેતના પરમાત્મા તરફ વહેવા * લાગી છે તે પરમાત્મા જ છે. આપણે ચેતનાના કુશળ નિયોજન દ્વારા આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર સમાપ્ત કરી નાખીએ છીએ. આત્મા પરમાત્મા બને છે - કે કેટલાય જન્મોનાં જપ-તપ-ધ્યાન પછી આત્મા પરમાત્મા બનશે એ બધી વાત વ્યવહારનયની છે. આ વ્યવહારનો દૃષ્ટિકોણ છે. પારમાર્થિક રીતે નિશ્ચય નયની દૃષ્ટિએ તો જે ક્ષણે આપણે પરમાત્મામાં ઉપયુક્ત થઈ ગયા તે જ ક્ષણે પરમાત્મા બની ગયા. જૈન પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીએ તો સ્થાપના નિક્ષેપાથી શરૂ કરીને આપણી સાધના ભાવ નિપામાં વિરમી. આમ સ્થાપના, અનુભવ, ધ્યાન અને પરિણમનની ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે - જે દ્વારા આત્મા પરમાત્મારૂપે પ્રગટ થાય છે. ભેદભેદ જ્યારે આપણે આત્મામાંથી પરમાત્મા બનવાનો વિચાર કરીએ કે વાત કરીએ ત્યારે લાગે છે કે જાણે બંને અલગ વસ્તુઓ છે - આત્મા એક છે અને પરમાત્મા બીજો છે. આ ભેદની દૃષ્ટિ છે. જ્યારે આપણે પરિણતિના દૃષ્ટિકોણથી વિચાર કરીએ છીએ ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર જ નથી. આત્મા એ જ પરમાત્મા છે. આ છે અભેદની દષ્ટિ. વાસ્તવિકતામાં જે કંઈ ભેદ છે તે આત્મા કે પરમાત્માના અસ્તિત્વમાં નથી, પણ ભેદ છે આપણા દૃષ્ટિકોણમાં. ભેદની દૃષ્ટિ ખંડને દેખે છે અને તેનું વર્ણન કરે છે - આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચરિત્ર છે. તેને આત્માની અનેક અવસ્થાઓ દેખાય છે. અભેદની દૃષ્ટિ એ જ –– ૧૨૪ – મહાવીરની સાધનાનો માર્ગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy