SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચરમલક્ષ્યને સિદ્ધ કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે, જે માર્ગ પ્રહણ કરવામાં આવે તે છે સાધનાપથ. જેના ઉપર ધ્યાન ખૂબ મહત્ત્વનું પદાર્પણ છે. યોગની ભાષામાં વાત કરીએ તો જે વટવૃક્ષ બની ચૂકયું છે તેને નજરમાં રાખીને બીજા વિકાસ સાધે. આપણે જે બનવું હોય તેને નજરમાં રાખીને આપણે આપણી પ્રક્રિયા ગોઠવીએ અને તે દિશામાં પ્રયાસ કરીએ તો તેના જેવા બની શકાય. આપણે પરમાત્મા બનવું છે તો પરમાત્માને નજરમાં રાખીને તેના મય થઈ જઈએ, ચિત્તની બધી પ્રવૃત્તિઓ પરમાત્મામાં લીન કરીને તેની સાથે તન્મય થઈ જવાથી પરમાત્મા થઈ શકાય. આ તન્મયતા સાધવાની ચતુરંગ પ્રક્રિયા છે. તેનાં ચાર અંગ છે: સ્થાપના, અનુભવ, ધ્યાન અને વિહાર એટલે કે પરિણમન. આત્મસાક્ષાત્કાર એટલે આત્મામાં પરમાત્માનો આવિર્ભાવ. આપણે આત્માનું પરિણમન કરવું છે. તે માટે પહેલાં પરમાત્માની મનમાં સ્થાપના કરીએ. મનને બધી બાબતોમાંથી હટાવીને જે પરમાત્મસ્વરૂપ બની ગયા છે તેનામાં સ્થાપિત કરીએ. સ્થાપના કર્યા પછી ચિત્તને પરમાત્મામાં એટલું લીન કરીએ કે જેથી આપણને પરમાત્માના અનુભવનો અણસાર મળી જાય. અનુભવ તો કર્યો પણ જો તે સ્થાયી ન બને તો આપણી સાધના અધૂરી જ રહી જાય. અનુભવને સ્થિર કરવા માટે ત્રીજી પ્રક્રિયા છે ધ્યાનની. ધ્યાનમાં આપણે લક્ષ્ય સિવાયના અન્ય વિકલ્પોને દૂર કરી ફક્ત આપણા સંકલ્પમાં જ સ્થિત રહેવાનું. અહીં આપણો સંકલ્પ છે - પરમાત્મા. તેનું જ પુર આલંબન લઈને ધ્યાનને સ્થિર કરતા જવાનું. અહીં ધ્યાનને નિર્વિકલ્પ સમાધિ સાથે જ સંબંધ રહે છે. આ સમાધિ છે શુદ્ધ ચૈતન્યની અનુભૂતિની. આ પરમાત્માની અનુભૂતિ છે. આ અવસ્થામાં નવા સંસ્કારોનું નિર્માણ અટકી જાય છે અને સાથે સાથે પૂર્વ સંસ્કારો પણ નષ્ટ થવા લાગે છે. આમ, ધ્યાનમાં સંવર અને નિર્જરા એક સાથે આપોઆપ સધાય છે. બસ, અહીંથી આપણું પરમાત્મા બનવાનું શરૂ થઈ જાય છે. આમ તો સ્થાપનાની પ્રક્રિયાથી જ શરૂઆત થઈ હોય છે પણ તેની સ્પષ્ટ પ્રતીતિ આપણને ધ્યાનની કક્ષામાં થાય છે. પરમાત્માનું આત્માનો સાક્ષાત્કાર ૧૨૩ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy