SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કહીને વિરમવાનું ઇષ્ટ માન્યું. છતાંય આપણે આ વાતને સ્પર્શવી તો રહી જ કારણ કે તે સાધનાનું પરમ લક્ષ્ય છે. જો કંઈ લક્ષ્ય જ ન હોય તો પછી ધર્મમાર્ગમાં ધ્યાન, ધારણા, સમાધિ બધાંની ખાસ જરૂર રહેતી નથી. આપણે અહીં આ ગંભીર વિષયની જે છણાવટ કરીએ છીએ તે મોટે ભાગે જૈન તત્ત્વજ્ઞાનની વિચારધારા પ્રમાણે છે; પણ જૈન તત્ત્વધારા અનેકાંતનો આશ્રય કરે છે જેથી તેમાં અન્ય દર્શનો પણ સમાવિષ્ટ થઈ જાય છે કારણ કે તે જુદા જુદા નયથી પ્રશ્નનો વિચાર કરે છે. જેથી જૈન તત્ત્વનિરૂપણમાં દૈત પણ લાગશે અને અદ્વૈત પણ લાગશે. તેનાથી રખે કોઈ માની લે કે જૈન મુનિઓ આ બાબત સ્પષ્ટ નથી. ખરેખર કહીએ તો તેઓ એટલા બધા સ્પષ્ટ છે કે તેઓ બન્નેનું નિરૂપણ સચોટ રીતે કરે છે અને કોનું કયાં સ્થાન છે તે વિશદ રીતે સમજાવે છે. વાસ્તવિકતામાં આત્મા અને પરમાત્મા એક જ છે પણ આપણે કઈ રીતે જોઈએ છીએ તેના ઉપર તેનો આધાર છે. જો આત્મા, પરમાત્મા હોય જ નહિ તો તે કયારેય પરમાત્મા બની શકે નહિ. આપણે મોટા વટવૃક્ષને જોઈએ છીએ. તેની નીચે અસંખ્ય ટેટાઓ પડ્યા હોય છે જેમાં વડનાં નાનાં નાનાં બીજ હોય છે. આટલા નાના બીજમાં વડ છુપાયેલો છે. જો બીજમાં વડ ન હોય તો તેમાંથી કયારેય વડ બની શકે નહિ. બીજમાં વડની શક્તિ રહેલી છે, જે આગળ જતાં મોટું વટવૃક્ષ બને છે. એ રીતે જે ઉપાદાનમાં પરમાત્મા ન હોય તો તે પરમાત્મા ન બની શકે. મૂળ વાત તો એટલી જ છે - બીજનો વિકાસ થાય એટલે વૃક્ષ બને. કળીનો વિકાસ થાય પછી ફૂલ બને. વાસ્તવિકતામાં બીજ અને વૃક્ષ, કળી અને પુષ્પ એક જ છે તેમ આત્મા અને પરમાત્મા એક જ છે - અભિન્ન છે પણ પ્રશ્ન છે ખીલવાનો, વિકાસ કરવાનો. બીજની શક્તિ પૂર્ણરૂપે ખીલે છે, ત્યારે તે વૃક્ષ બની જાય છે પણ આ વિકાસ સાધવા માટે તેણે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આત્મા જ્યારે પૂર્ણરૂપે પ્રગટે ત્યારે તે પરમાત્મા બની જાય છે. પ્રશ્ન છે. પૂર્ણતા પ્રગટ કરવાનો અને સમસ્ત સાધના આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગોઠવાયેલી હોય છે. – ૧રર – – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy