SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વનું અખંડ દર્શન કરે છે. તેને માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અલગ નથી. તેની દૃષ્ટિએ તો અસ્તિત્વ છે માત્ર કેવળ ચૈતન્યનું. તેને ચૈતન્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. ચૈતન્યને જોવાની જે સ્થિતિ છે તે જ વાસ્તવમાં આત્મદર્શન છે - એ જ આત્મ-સાક્ષાત્કારની ભૂમિકા છે. આ ભૂમિકા ઉપર આત્માની એકતાની-અમરતાની અનુભૂતિ થાય છે. વાસ્તવિકતામાં ચેતના તો એક જ છે પણ તે જ્યારે ભેદ દષ્ટિ અપનાવે છે ત્યારે ભેદ ચેતના કહેવાય છે અને અભેદ દષ્ટિ ગ્રહણ કરે છે ત્યારે અભેદ ચેતના કહેવાય છે. વસ્તુનું દર્શન અભેદાત્મક ચેતનાથી ગ્રહણ થાય છે પણ જ્ઞાન ભેદત્મક ચેતનાથી થાય છે. જ્ઞાનમાં વિશિષ્ટ દર્શન છે. જે વિષયનું વિવરણ કરે છે. વસ્તુનો વિવિધ સ્વરૂપે ભેદ પાડીને વિચાર કરે છે. જ્યાં શુદ્ધ ચેતના હોય છે ત્યાં શેયની વાત રહેતી નથી. આપણે ચૈતન્ય દ્વારા બીજી વસ્તુઓને જાણીએ છીએ પણ ચૈતન્યને ભૂલી જઈએ છીએ; પણ જેવી દષ્ટિ ચૈતન્ય તરફ વળી કે જાણવાની વસ્તુઓશેય ગૌણ બની જાય છે. એક છે શેયાનુભૂતિ અને બીજી છે ચૈતન્યાનુભૂતિઆત્માનુભૂતિ. આપણે જ્યારે જોયાનુભૂતિ કરીએ છીએ ત્યારે વસ્તુઓનો સાક્ષાત્કાર કરીએ છીએ. પણ જે જોનાર છે – જ્ઞાતા છે તેના ઉપર ધ્યાન જતાં જે અનુભૂતિ થાય છે તે ચૈતન્યાનુભૂતિ છે. સાધનાની ભૂમિકા ઉપર શેય રહે છે. પણ તે શુદ્ધ છે-મલિનતા વિનાનું હોય છે-કપાયરહિત. આ પણ ચૈતન્યાનુભૂતિ અને આત્મ-સાક્ષાત્કારની અવસ્થા છે. આમ, જે આત્માને દેખે છે તે પરમાત્માને દેખે છે. પછી તેને વિષયો સતાવતા નથી, વિકૃતિઓ સતાવતી નથી. ચેતન્યાનુભૂતિનો મતલબ છે આત્મદર્શન. વ્યવહારની ભાષામાં એને આત્મદર્શન કહેવામાં આવે છે પણ વાસ્તવિક્તામાં તે ચૈતન્યની અનુભૂતિ જ હોય છે. તેને આત્મસાક્ષાત્કાર તરીકે પણ ઓળખી શકાય. તેને પરમાત્મપ્રાપ્તિ પણ કહી શકાય. બાકી ભૌતિક રીતે આત્માને જોવાની ક્ષમતા તો ફક્ત કેવળીને જ હોય. આમ, ભેદમાં અભેદ છે અને અભેદમાં ભેદ છે. પ્રશ્ન છે ભેદ ચેતનાના ઉપયોગનો કે અભેદ ચેતનાના ઉપયોગનો. આત્માનો સાક્ષાત્કાર ૧૨૫ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy