SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સધાયા પછી નિરાલંબન ધ્યાન તરફ ગતિ કરવાની હોય છે. સાલંબન ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન છે; જ્યારે નિરાલંબન ધ્યાનમાં બન્નેનો અભેદ છે. જે સાધક પોતાના ચૈતન્યથી ભિન્ન વસ્તુ ઉપર ધ્યાનને પરિપકવ કરી લે છે અને તેની સાથે લાંબો સમય એકાગ્રતા સાધી શકે છે તે વિના પ્રયાસ પછીથી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશે છે જ્યાં તેને શુદ્ધ ચૈતન્યની કેવળ અનુભૂતિ જ રહે છે. એ બાબત બહુ સ્પષ્ટ રહેવું જરૂરી છે કે નિર્વિકલ્પ ધ્યાન એ કંઈ નિર્વિચાર ધ્યાન નથી. નિર્વિચાર અવસ્થા એ શૂન્યની અવસ્થા છે. જે જૈનાચાર્યોને માન્ય નથી. નિર્વિકલ્પમાં સંકલ્પ હોય પણ વિકલ્પ ન હોય અને જ્યાં સંકલ્પ હોય ત્યાં વિષયની હાજરી રહેવાની જ એટલે તે સાલંબન ધ્યાનની અંતર્ગત આવી જાય. વિચય ધ્યાનના વિષયમાં જૈનાચાર્યોએ “વિચર્યની વાત કરી છે જેનો વિચાર ન કરીએ તો ધ્યાન ઉપરનું આપણું ચિંતન અપૂર્ણ જ રહે છે. વિચય એ પારિભાષિક શબ્દ છે. “વિચય” એટલે વિચાર-ચિંતન. ધ્યાન કરવાનો મુખ્ય ઉદ્દેશ ચેતનાના વિકાસની ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચવાનો છે તો પછી જે લોકો એ ભૂમિકા ઉપર પહોંચી ગયા છે તેમની આજ્ઞા-આદેશ ઉપર ચિંતન કરી તેનું પાલન કરવું એ પણ ધ્યાન છે. તેને આજ્ઞા વિચય' કહે છે. એમાં આત્માની અનુભૂતિ કરનારની આજ્ઞાને સહારે સાધનાના અજ્ઞાત પથને જાણવાનો પ્રયાસ છે. “વિચય ધ્યાન”નો બીજો પ્રકાર અપાય વિચય' કહેવાય છે. એમાં રાગ-દ્વેષની ચેતનાની પ્રધાનતાને કારણે આપણને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એ મનોદશા ઉપર ચિંતન કરી, તેનું વિશ્લેષણ કરી, એવા દોષોના નવસર્જનને રોકવાના ઉપાયો શોધવાના હોય છે. સંસાર આખો કર્મને આધીન છે અને તેના મૂળમાં ઘા કર્યા વિના સંસાર કપાય નહિ તેથી કર્મની પ્રકૃતિ, બંધ, સ્થિતિ, ફળ આપવાની તેની શક્તિ, કર્મમાં ફેરફારો કરવાના ઉપાયો વગેરે ઉપર વિચાર કરી કર્મોને જીર્ણ અને શીર્ણ કરવા કટિબદ્ધ થવા જે ચિંતન કરવામાં આવે છે તેને વિપાક વિચચ' કહેવામાં આવે છે. આલોક-પરલોક-અલોક વગેરેની રચના અને વ્યવસ્થા અંગે જે ચિંતન કરવામાં આવે છે તેને “સંસ્થાનવિચય” કહેવામાં આવે છે. આપણે અગાઉ ધ્યાનમીમાંસા ૧૧૩ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy