SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ હોય. જૈનાચાર્યો ચૈતન્યના અનુભવને નિરાલંબન ધ્યાન કહે છે અને તેને જ તેઓ વાસ્તવિક (નિશ્ચય) ધ્યાન કહે છે. એકાગ્રતાવાળું ધ્યાન સાલંબન ધ્યાન છે જેને વ્યવહારિક ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. નિરાલંબન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થયા પછી કોઈ આયાસ-પ્રયત્ન કરવાનો રહેતો નથી. મૂળમાં તો વ્યાવહારિક ધ્યાન પણ નિશ્ચય ધ્યાન ઉપર જવા માટે જ કરવાનું હોય છે. જેમ જેમ કષાય ચેતનાનાં પ્રકંપનો શાંત થતાં જાય - ક્ષીણ થતાં જાય તેમ તેમ નિરાલંબન ધ્યાન - નિશ્ચય ધ્યાનમાં પ્રગતિ થતી જાય. નિર્વિકલ્પ ધ્યાન આ શબ્દ બહુ વિચાર માગી લે તેવો છે કારણ કે જો આપણે તે બાબત સ્પષ્ટ ન હોઈએ તો ધ્યાનમાર્ગમાં ભટકી જવાનો સંભવ છે. નિર્વિકલ્પની સ્થિતિ હોવી બહુ સારી વાત છે પણ પૂર્ણ જાગરૂકતા સાથે એ સ્થિતિ સધાવી એક વાત છે અને તે વિનાની ઉપસ્થિતિ બીજી વાત છે. ઊંઘતી વ્યક્તિમાં વિકલ્પ નથી હોતા, તેથી તે કંઈ ધ્યાન ન બને. જડ વ્યક્તિને જાગ્રત અવસ્થામાં પણ વિકલ્પ નથી હોતા કે ઓછા હોય છે તેથી કંઈ તેને ધ્યાન ન કહેવાય. નવજાત શિશુ, મૂચ્છિત વ્યક્તિ, અવ્યક્ત ચેતનાવાળાં પ્રાણી, દારૂ જેવા પદાર્થના સેવનથી મત્ત બનેલા માનવીઓ અને સુષુપ્ત માણસ - આ બધામાં વિકલ્પો નથી હોતા કે અલ્પ હોય છે તેથી તે બધાની અવસ્થાને નિર્વિકલ્પ ધ્યાન તરીકે ન લેવાય; ઊલટાનું કોઈ આલંબન ઉપર પ્રગાઢરૂપે સંલગ્ન થઈને પ્રકંપનવિહીન બનેલા મનની અવસ્થાને ધ્યાનમાં ઘટાવી શકાય. જ્યાં ચેતના અવ્યકત છે, મત્ત છે, સુષુપ્ત છે ત્યાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. નિમિત્ત મળતાં તે ભભૂકી ઊઠવાનો. નિરાલંબન ધ્યાનમાં મન અવ્યક્ત કે સ્થગિત નથી હોતું પણ તે નિરુદ્ધ હોય છે. તેનો નિરોધ થયેલો હોય છે માટે તે ધ્યાન છે. આવું ધ્યાન જ ચૈતન્યનો દીપ પ્રગટાવી શકે છે. જૈનાચાર્યોએ બહુ વિચાર કરીને ધ્યાનમાર્ગની શરૂઆત સાલંબન ધ્યાનથી કરવાની ભલામણ કરી છે. એમાં આત્માથી ભિન્ન કોઈ પણ ઈષ્ટ વસ્તુને આલંબન બનાવીને ધ્યાન કરવાનું રહે છે અને અભ્યાસ – ૧૧ર – -- મહાવીરની સાધનાનો મર્મ યાર કરી તેમાં આત્મા છે અને જામ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy