SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે પણ તેમાં કલુષિતતા નથી હોતી. રાગ-દ્વેષ યુક્ત, કપાયોથી ભરપૂર ચેતનાનો પ્રવાહ આવતો હોય છે તો તેનો યોગ થતાં જે મનનું સર્જન થાય છે તે કલુષિત હોય છે. મન જેટલું કલુષિત તેટલી ચંચળતા વધારે અને તેની માત્રા જેટલી વધારે કે તેની પરંપરા વધારે તેટલી અશાંતિ વધારે. આમ, મન સક્રિય તો બન્ને રીતે થાય છે પણ કષાયયુક્ત પ્રાણધારા અને કષાયરહિત પ્રાણધારા બન્નેના સંયોગથી પેદા થયેલા મનની સ્થિતિમાં ઘણો ફેર છે. આમ, મનની ત્રણ અવસ્થાઓ ઉપર વિચાર કરી શકાય. એક છે રાગ-દ્વેષયુક્ત મન, બીજી અવસ્થા છે રાગ-દ્વેષ શૂન્ય મનની અને ત્રીજી છે અમનની એટલે કે માનસિક વિકલ્પના નિરોધની. મનનું નિર્માણ જ ન થાય તે ઉત્તમ વાત છે. પણ તે ધ્યાનનું આદિ-બિંદુ નથી, તે તો તેની અગ્રિમ ભૂમિકા છે. ધ્યાનમાં શરૂઆત કરવાની છે. મનની સાથે ચેતનાની જે ધારા જોડાય છે તેમાં વિવેક કરવાની. મનની સાથે જે પ્રાણધારા જોડાય છે તેને રોકવાનું કામ ઘણું કપરું છે પણ આપણે એ કરી શકીએ કે મન સાથે ચેતનાની ધારા ભલે જોડાય પણ તે રાગદ્વેષથી ભરેલી ન હોય. ભલે પ્રાણની ધારા મનને સક્રિય કરે પણ તેની સાથે કષાય ન આવે, વાસનાઓ ન આવે, તેમાં પ્રમાદ ન ભળે. રાગ-દ્વેષ, આકાંક્ષા, પ્રમાદ અને કષાયના દરવાજા બંધ કર્યા હશે તો ચૈતન્યની ધારા મનનું નિર્માણ કરશે તે સક્રિય તો હશે પણ તેમાં શોક નહિ હોય, ગ્લાનિ નહિ હોય, અશાંતિ નહિ હોય, પછી એ સક્રિયતા ચંચળતા આપણું અનિષ્ટ નહિ કરી શકે. આ પણ ધ્યાનની મહત્ત્વની ભૂમિકા છે. જ્યારે આપણે એ ભૂમિકા ઉપર પહોંચી જઈએ કે મનની સાથે પ્રાણની ધારાનો સંયોગ જ ન થાય ત્યારે તો ધ્યાનની ખૂબ ઉચ્ચ ભૂમિકા ઉપર આવી જઈએ છીએ. પણ આ અવસ્થા સાધવી ખૂબ મુશ્કેલ છે તેથી આપણે તો ધ્યાનમાં એ જ પ્રયાસ કરવો રહ્યો કે મનનું નિર્માણ કરનાર પ્રાણધારા કષાયો ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ ભાવોથી રહિત રહે જેથી મન આપણું કંઈ અનિષ્ટ ન કરી શકે અને સાધનાપથ ઉપર આગળનાં દ્વાર આપોઆપ ખૂલતાં રહે. મનને સાધવું એ પરમ ધ્યાન છે. – ૯૮ ––– મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy