SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ તો મનનું સ્થાન મસ્તકમાં છે. આમ જોઈએ તો આ બધી વાતો સાપેક્ષ છે. તેથી કોઈ વાતને ખોટી કહેવાનું પ્રયોજન નથી. આપણી અનુભૂતિનો જે-જે રીતે વિચાર કરીએ તે-તે રીતે આપણને મનનું સ્થાન જુદી જુદી જગાએ લાગશે. પણ મૂળ વાત એ છે કે મનનું નિર્માણ આપણે કરીએ છીએ. એટલે કે ચેતન્યમાંથી આવતી પ્રાણધારાના સહયોગ વિના મનનું નિર્માણ ન થઈ શકે. મન એ એવો ભસ્માસુર છે કે જેને આપણે જ બળ આપીએ છીએ અને પછી તે આપણા ઉપર આધિપત્ય જમાવી બેસે છે. જ્યારે જીવ જાગ્રત થાય છે ત્યારે તેને મનનું આ આધિપત્ય ખટકે છે કારણ કે તે તેની પ્રગતિની આડે આવે છે અને પછી સાધક તેની સામે જ પોતાનો મોરચો ગોઠવે છે. જો મનની સાથે ચેતનાની ઘારાનો યોગ જ ન થાય તો મનનું નિર્માણ ન થાય. યંત્ર હોય પણ તેની સાથે વીજળીનું જોડાણ જ ન હોય તો તે યંત્ર સક્રિય થઈ શકતું નથી તેમ ચેતનાની ધારા વિના મન સક્રિય ન થઈ શકે. પછી ભલેને ઊર્જા વિનાના યંત્રની જેમ મન શરીરમાં ક્યાંક મૃતપાય અવસ્થામાં પડ્યું હોય. આ અવસ્થામાં કોઈ સંકલ્પ નથી હોતો, કોઈ વિકલ્પ હોતો નથી. ધ્યાનની આ ખૂબ ઊંચી ભૂમિકા છે જેમાં ફક્ત અસ્તિત્વનો બોધ રહે છે. આ અવસ્થામાં ધ્યાનની કોઈ આવશ્યકતા જ રહેતી નથી. અહીં તો આપણે સ્વયં સિદ્ધ અવસ્થામાં જ હોઈએ છીએ. આપણે જોઈ ગયા કે મનનું નિર્માણ ચેતનાની ધારાનો સ્પર્શ થતાં થાય છે. અને ચેતના અતીતના વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત હોય છે. જો આ સંસ્કારો નિર્મળ હોય છે તો ચેતનાની ધારા નિર્મળ હોય છે જે નિર્મળ મનનું સર્જન કરે છે, પણ ચેતનાની ધારા ભાગ્યે જ એવી શુદ્ધ અને નિર્મળ હોય છે. ચેતનાની ધારા સાથે આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ એમ ઘણી વસ્તુઓ ભળેલી હોય છે જે મનના સ્વરૂપને કલુષિત કરી નાખે છે. બાકી મન પોતે નથી નિર્મળ કે નથી કલુષિત. તેનું નિર્માણ કરનાર પ્રાણધારા જેવી શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તેના ઉપર મનની નિર્મળતા કે કલુષિતતાનો આધાર રહેલો છે. જો રાગ-દ્વેષ રહિત ચેતનાની ધારાના યોગથી મનનું નિર્માણ થયું હોય તો મનનું અસ્તિત્વ તો બની ધ્યાનસૂત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy