________________
૭૨
શ્રીમદ્ રાજચંદ્ર
[ ૬૪૩–૭ ] ૮ વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨
કમ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તે સામટા ગોટા વાળી નાશ કરે છે.
વિચારવાને બીજા આલમના મૂકી દઈ, આત્માના પુરુષા ના જય થાય તેવું આલંબન લેવું. કર્મ બંધનનુ આલંબન લેવુ નહી. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા.
માટીમાં ઘડા થવાની સત્તા છે; પણ દંડ ચક્ર, કુંભારાદિ મળે તે થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરૂ આદિ સાધન મળે તે આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હાય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સપાદન કરેલુ છે તેને પૂર્વાપર મળતુ આવવુ જોઈએ, અને વત માનમાં પણ જે જ્ઞાનીપુરુષાએ જ્ઞાન સ`પાદન કરેલું છે તેનાં વચનેને મળતુ આવવુ જોઈએ, નહી. તે અજ્ઞાનને જ્ઞાન માન્યુ છે એમ કહેવાય.
જ્ઞાન એ પ્રકારનાં છે :-એક બીજભૂત જ્ઞાન; અને બીજું વ્રુક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભુત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને ખીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પદર ભવે મેાક્ષ થાય.
આત્મા અરૂપી છે; એટલે વણુગ ધરસસ્પર્શ રહિત
વસ્તુ છે; અવસ્તુ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org