________________
૫૪
શ્રીમદ્ રાજચંદ્ર છૂટ આપી હશે તે કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રણાણે વર્તવાની આજ્ઞા કરી છે. લેકની દષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે.
ઋષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રે “અમને રાજ આપે” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તે અષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુથને મૂકી દીધા ! જુઓ મોટા પુરુષની કરુણા!
કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બનેને એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા આજના કાળમાં બે પક્ષને ભેગુ થવું હોય તે તે બને નહીં તેમાં કેટલાક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં. પણ અસરળતાને લીધે બને જ નહીં.
સપુરુષે કાંઈ સદુઅનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી; પણ જે તેને આગ્રહ થયે હેય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટયા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે.
ચક્રવતી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે ! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કાંઈ ભૂલ હય, અને તે ચક્રવતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org