________________
ઉપદેશછાયા
૪૫
[ ૬૪૩–૫
૬ ભાદરવા સુદ ૯, ૧૯૫૨ જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ. હોય તેણે તો તે સબંધી નિત્ય વિચાર કરો.
જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. કિયા કરવી એ સારી વાત છે પણ લેકસંજ્ઞાએ કરે તે તેનું ફળ હેય નહીં.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, પણ જે તેની ખબર ન પડે તે નિષ્ફળ છે. જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે.
જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જે મૂળથી છેદવામાં આવે તે તે પાછી ઊગે નહીં. નહી તે તે પાછી ઊગી નીકળે છે; જેમ. પૃથ્વીમાં મૂળ રહ્યું તે ઝાડ ઊગી નીકળે છે તેમ માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે.? તે કેમ ટળે?” એ વિચાર પ્રથમ કત્તવ્ય છે.
રાત્રિભૂજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ. થાય નહીં; વિચાર આવે નહીં; એ આદિ દેવના ઘણા પ્રકાર રાત્રિભેજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણું દેશ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org