________________
કર
શ્રીમદ્ રાજચંદ્ર પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતું નથી. જેમ અશિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાની પુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસે પરિણામ આવે. પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જે પૂર્વના સંસ્કારથી તે વચને અંતરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મટયે બધી ભૂલ મટે, વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંત પરિણામ થાય નહીં, તે જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દેવ ઘટે નહીં.
કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે “જડ જે, “મૂઢ જે.” કહ્યું હતું તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું, જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુઓ હેય નહીં. બાલજી એમ વાતે કરે છે કે છઘસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા, પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી હતી.
જડપદાર્થને લેવામૂકવામાં ઉન્માદથી વર્તે તે તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org