________________
શ્રીમદ્ રાજચંદ્ર ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પછી પહેલે ગુણસ્થાનકે આવે છે. “વૃત્તિ શાંત કરી છે, એવું અહં. પણું જીવને ફુર્યાથી એવા ભુલાવાથી રખડી પડે છે.
અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણી જ આસક્તિ હેવાથી કઈ પણ ચીજ ખોવાઈ જાય છે. તેથી ' કરી અનેક પ્રકારની આર્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષેાભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુછતા જાણી નથી, પણ તેને વિષે મહત્તવ માન્યું છે.
માટીના ઘડામાં તુચ્છતા જાણે છે એટલે તે ફૂટી જવાથી ક્ષેભ પામતે નથી. ચાંદી, સુર્વણાદિને વિષે મહત્ત્વ માન્યું છે તેથી તેને વિયેગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ કુરાવે છે.
જે જે વૃત્તિમાં સ્કુરે અને ઈચ્છા કરે તે આસ્રવ છે. તે તે વૃત્તિને નિરોધ કરે તે “સંવર છે.
અનંત વૃત્તિઓ અનંત પ્રકારે કુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે, બાળજીને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેને સ્થૂળ ભેદે સમજણ પડે તે રીતે કહ્યા છે.
વૃત્તિઓને મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્કુરે છે. દરેક પદાર્થને વિષે સ્કુરાયમાન થતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org